Gujarat

જામનગરના આહિર અગ્રણી કનારાનું ભાજપમાંથી રાજીનામું

જામનગર, તા.૧૩
જાણીતા આહિર અગ્રણી અને વી.એચ.કનારાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ટેલિફોનિક વાતચીતમાં રાજીનામું આપવા સંબંધે વી.એચ.કનારાએ હાલની તકે વધુ કંઇ કહેવાનો ઇનકાર કર્યો છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આહિર આગેવાનના રાજીનામાને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. વર્ષો સુધી વી.એચ.કનારા કોંગ્રેસમાં રહ્યા હતા. એક વખત કે, જ્યારે ભાણવડની વિધાનસભા બેઠકનું અસ્તિત્વ હતું ત્યારે તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને એ સમયે તેઓ પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન હતા. આજે એમણે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. આજે સવારે જ્યારે વી.એચ.કનારા સાથે રાજીનામા અંગે ચર્ચા કરવામાં આવતા એમણે કહ્યું હતું કે, મે મારૂ રાજીનામું મોકલી દીધું છે. ભાવી રણનીતિ અંગે હાલ કંઇ કહેવાનો એમણે ઇનકાર કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.