(એજન્સી) તા.ર૭
જામિયા-મિલિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડો. મોહંમદ ઇરફાન કુરેશીએ નોવેલ કોરોના વાઇરસ સહિતના અન્ય કેટલાંક જીવાણુઓમાં પણ પ્રાણઘાતક અને ખતરનાક પરિબળો રહેલા છે તે અંગેની મહત્ત્વની માહિતી શોધી કાઢીને આડકતરો સંકેત આપ્યો હતો કે અન્ય કેટલાંક વાઇરસ પણ કોરોના વાઇરસ જેટલાં જ ખતરનાક પૂરવાર થઇ શકે છે.
ડો. કુરેશીએ તેમનું આ સંશોધન યુકેની યુનિવર્સિટી ઓફ સરેના ડો. મોહંમદ અસીમની સાથે હાથ ધર્યું હતું. જામિયા યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગના પ્રોફેસર ડો. કુરેશીએ યુકેની યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલના ડો. અસીમની સાથે રહીને કરેલાં સંસોધનના સહ-લેખક પણ હતા જેઓએ કોરોના વાઇરસ વારંવાર પોતાની શારીરિક રચના કેવી રીતે બદલે છે અને તેમ કરવા બદલ કયા પરિબળો જવાબદાર છે તે અંગે સંશોધન હાથ ધર્યું હતું. યાદ રહે કે આ ઘાતક કોરોના વાઇરસે આજદિન સુધીમાં વિશ્વભરમાં ૫૩ લાખ લોકોને ચેપ લગાડ્યો હતો અને ૩.૪૦ લાખ લોકોને ભરખી ગયો છે.
આ સંસોધનમાં વિજ્ઞાનના ક્ષેત્ર હાલ ચાલી રહેલાં સંશોધનો હાથ ધરનાર અનેક સંસ્થાઓને પણ સમાવી લેવામાં આવી હતી તેથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે કેમ કે, તેમાં એવા સંખ્યાબંધ રોગોની માહિતી ખુલ્લી પાડવામાં આવી છે જેમાં ચેપ લાગવાની સમાન પ્રક્રિયા રહેલી છે.
નોવેલ કોરોના વાઇરસ વારંવાર પોતાની શારીરિક રચના બદલીને નવા નવા સ્વરૂપ ધારણ કરે છે જેના કારણે આ વાઇરસ અને તેના યજમાન વચ્ચે થતી પારસ્પારિક પ્રક્રિયા શરૂ કરવામાં એક મોટો અવરોધ ઊભો થયો છે એમ કહેતાં ડો. કુરેશીએ વિગતો આપી હતી કે આ વાઇરસની જૈવિક માહિતીના વિશ્લેષણ થઈ એક નવી જ માહિતી સામે આવી છે કે આ વાઇરસ વારંવાર સંખ્યાબંધ નવા નવા સ્વરૂપ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે, તે ઉપરાંત સપાટી ઉપર ફેલાવાની તેની ક્ષમતા પણ અત્યંત મજબૂત છે તેથી એક માનવ શરીર જ એવું છએ જે નિર્ણય કરી શકે કે ચેનો ચેપ લાગશે કે નહીં. કોઇપણ સપાટી કે નિર્જીવ અને જડ પદાર્થોને સ્પર્શ નહીં કરવાની ચેતવણી આપતા ડો. કુરેશીએ કહ્યું હતું કે સ્પાઇક ગ્લાયકોપ્રોટિન (કોરોના વાઇરસની ત્વચાની સપાટી)ની અન્ય વાઇરસની સાથે તુલના કરતાં જોવા મળ્યું હતું કે સપાટી ઉપરના રેસાઓ પૂરવાર કરે છે કે અન્ય જીવાણુઓમાં પણ અત્યંત ચેપી લક્ષણો રહેલાં છે.
અન્ય કેટલાંક જીવાણુઓ પણ કોરોના વાઇરસ જેટલા જ ખતરનાક છે : જામિયાના પ્રોફેસરના સંશોધનનું તારણ

Recent Comments