અમરેલી, તા.રપ
અમરેલીમાં ભેંસના તબેલામાં આવેલ મકાનમાં રાત્રી દરમ્યાન કોઈપણ કારણોસર આગ લાગતા આગમાં દાજી જવાથી મુસ્લિમ યુવાનનું મોત નીપજેલ હતું. મૃતક યુવાનના મોતથી તેની ત્રણ દીકરીઓ નોંધારી બની ગયેલ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના અલીફનગરમાં આવેલ રફીકભાઇ રહેમાનભાઈ કુરેશીના ભેંસના તબેલાના મકાનમાં મંગળવારની રાત્રીના એકાએક આગ લાગતા તબેલાના મકાનમાં સુતેલ જહાંગીર અલીભાઈ બેલીમ ઉવ-૪૮ રહે સુળીયા ટીમ્બા વાળો આગમાં ગંભીર રીતે દાજી જતા તેનું ઘટના સ્થળે મોત થયેલ હતું. જ્યારે તબેલાના મકાનમાં દીનમહમંદ નામનો ફકીર પણ સુતો હતો અને તેણે આ બનાવ નજરે જોયેલ હતો ફકીર દીનમહંમદ ને પોલીસે શંકાના આધારે પૂછપરછ માટે પોલીસે સ્ટેશનમાં રાખેલ હોઈ, આ બનાવ વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાના સમયે બનેલ હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે મૃતક જહાંગીરના ભાઈ સલીમભાઇ અલીભાઈ બેલીમે સિટી પોલીસમાં જાહેર કર્યું હતું.
અમરેલીમાં ભેંસના તબેલામાં લાગેલ આગમાં દાઝી જતાં એકનું મોત

Recent Comments