કોલકાતા, તા.ર૭
પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બે વર્ષના સમયગાળામાં ર૦૧૯-ર૦માં રમાશે અને તેની ફાઈનલ ર૦ર૧માં રમાશે. આઈસીસીએ ગુરૂવારે આનું સમર્થન કર્યું છે. જો કે આમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે નહીં. આ બંને કટ્ટર હરીફ ટીમો ફાઈનલમાં પહોંચશે તો જ આમને-સામાને હશે. આ જાણીને તમને આશ્ચર્ય થઈ શકે છે પણ આઈસીસીએ આ નિર્ણય કરી લીધો છે. આ નવા ફોર્મેટ જેના પર હજુ પણ કામ ચાલી રહ્યું છે. આમાં ૯ ટેસ્ટ ટીમો ભાગ લેશે અને ૬ સિરીઝ રમશે. દરેક ટીમ બે વર્ષમાં ૬ દેશો વિરૂદ્ધ ઘર આંગણે અને બહાર ત્રણ-ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. એટલે કે ર૪ મહિનામાં ૩૬ ટેસ્ટ મેચ રમાશે. ફક્ત ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન અને આયરલેન્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સામેલ નથી. આ ટીમો આ સમયગાળામાં દ્વિપક્ષીય સિરીઝ રમશે કઈ ટીમ ક્યારે કોની સાથે રમશે તે ન્યુ ફ્યુચર ટુર્સ પ્રોગ્રામ (એફટીપી) અનુસાર નક્કી થશે. જો ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં પહોંચશે તો તટસ્થ સ્થળે મેચ રમાશે.
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત-પાકિસ્તાન મુકાબલો નહીં

Recent Comments