(એજન્સી) નવી દિલ્હી,તા.૧૯
ભારતમાં કોરોનાના કેસ એક કરોડને પાર થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સોશ્યલ મીડિયા થકી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણના કેસ એક કરોડ પર પહોંચી ચુક્યા છે અને લગભગ દોઢ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે કોઈ પણ યોજના બનાવ્યા વગર લાગુ કરાયેલા લોકડાઉનથી કોરોનાની લડાઈ ૨૧ દિવસમાં જીતવાના પીએમ મોદીના દાવા ખોટા સાબિત થયા છે.પીએમ મોદીએ કોરોના સામે જીતવાની વાત કરી હતી પણ લોકડાઉનના કારણે દેશમાં કરોડો લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ એક કરોડથી વધુ થયા બાદ શનિવારના રોજ સરકાર પર નિશાન સાંધ્યુ હતુ અને આરોપ લગાવ્યો હતો કે તૈયારી વગર કરાયેલ લોકડાઉનથી દેશમાં કરોડો જિંદગી બરબાદ થઇ ગઇ છે. કોરોના કુલ કેસો એક કરોડને પાર થઈ ગયા છે આની સાથે કોરોનાથી અત્યાર સુધીમાં એક લાખ ૪૫ હજાર ૧૩૬ લોકોના મોત થયા છે અને કુલ ૯૫.૫૦ લાખ લોકો કોરોનાથી સાજા થયા છે.
Recent Comments