(એજન્સી) તા.ર૫
ઈરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ જણાવ્યું કે, કોરોના મહામારીની વિરૂદ્ધ દેશના રસીકરણ અભિયાનને ફેબ્રુઆરીમાં આયાતિત રસીઓ સાથે રોલઆઉટ કરવાની સંભાવના છે. રાજધાની તહેરાનમાં એક બેઠકમાં બોલતા રૂહાનીએ જણાવ્યું કે, વિદેશી નિર્મિત રસીઓનો ઉપયોગ કરવો જરૂરી છે. જ્યાં સુધી કે, ઘરેલું ઉપયોગની રસી મોટાપાયા પર ઉપયોગ માટે તૈયાર ન હોય, જ્યારે કોરોના રસીકરણ અભિયાનોએ સંપૂર્ણ વિશ્વમાં કિક સ્ટાર્ટ કર્યું છે. મહામારીની ચોથી લહેર પર ચિંતાઓની વચ્ચે ઈરાનની દોડ જારી છે. તહેરાનને અમેરિકન પ્રતિબંધોના કારણે વિદેશી રસીઓની આયાતમાં અડચણોનો સામનો કરવો પડ્યો છે અને હાલમાં જ અમેરિકા અને અને બ્રિટનમાં ઉત્પાદિત રસીઓ પર જાહેર પ્રતિબંધોએ ઓછા વિકલ્પોની સાથે દેશને છોડી દીધો છે. રૂહાનીએ જણાવ્યું કે, રસીની ૧૬.૮ મિલિયન ખોરાકના ઈરાનના કોવેક્સ ભાગ ઉપરાંત દેશ અન્ય સ્થળોથી પણ રસી ખરીદવા ઈચ્છે છે, તે પણ સ્ત્રોતને નિર્દિષ્ઠ કર્યા વિના. તેમણે જણાવ્યું કે, ત્રણ ઘરેલું રસી બરાકત, રાજી, પાશ્વર-ઈરાની નવા વર્ષ માર્ચ પછી ઉપયોગ માટે તૈયાર થશે. રૂહાનીએ હાલના અઠવાડિયાઓમાં વાયરસથી થતા ઈન્ફેક્શન અને ઘાતક ઘટનાઓમાં મહત્ત્વપૂર્ણ ઘટાડાનો ઉલ્લે કર્યો. પરંતુ ચેતવણી આપી કે, જો દિશા-નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે, તો ચોથી લહેર ઝડપી હોઈ શકે છે. ઈરાની નેતાએ જણાવ્યું કે, જ્યાં સુધી વેક્સિનોનું સંચાલન નથી કરવામાં આવતું, દેખરેખ પ્રક્રિયા ઝડપી કરવાનું આહ્‌વાન કરતા આરોગ્ય પ્રોટોકોલ આગામી છ મહિના સુધી જારી રહેવા જોઈએ. ઈરાનમાં પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં વાયરસના ૧.૩૬ મિલિયન કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં પ૭,૦૦૦થી વધુ મોત થયા છે. દેશમાં હાલના અઠવાડિયાઓમાં વાયરસના અંગ્રેજી સંસ્કરણના ઓછામાં ઓછા ૬ મામલાઓની ઓળખાણ કરવામાં આવી છે જે ભય અને ચિંતાનો વિષય છે.