મુંબઇ,તા.૮
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના સીનિયર અધિકારીએ કહ્યું કે, ભારત ઓસ્ટ્રેલિયામાં ૨ અઠવાડિયા માટે કવોરન્ટીનમાં રહેવા તૈયાર છે. જો તેમ કરવાથી આ ટૂર સંભવ થતી હોય તો ટીમને કોઈ વાંધો નથી. ભારત ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં ૪ ટેસ્ટ અને ૩ વનડેની સીરિઝ રમવાનું છે. જો આ સીરિઝ ન રમાય તો ઓસ્ટ્રેલિયાને ૩૦૦ મિલિયન ડોલરનું નુકસાન થશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને ફેડરલ ગવર્મેન્ટ વચ્ચે પ્રોટોકોલ અંગે વાતચીત ચાલી રહી છે. BCCIના ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું કે, બીજો કોઈ વિકલ્પ જ નથી. જો ક્રિકેટને ફરી ટ્રેક પર લાવી હોય તો બધાને આમ કરવું પડશે. ૨ અઠવાડિયા વધુ સમય નથી. આટલો લાંબો સમય લોકડાઉનમાં રહ્યા પછી સ્પોટ્ર્સમેન માટે બીજા દેશમાં જઈને ૨ અઠવાડિયા કવોરન્ટીનમાં રહેવું એક સારી વસ્તુ છે. અમે જોશું કે લોકડાઉન પછી નવા નોર્મસ શુ છે. ધૂમલે કહ્યું કે, લોકડાઉન પહેલા ૪ની જગ્યાએ ૫ ટેસ્ટની સીરિઝ રમવા વિશે ચર્ચા થઈ હતી. હવે જો વિન્ડો અવેલેબલ છે, તો બોડ્ર્સે નક્કી કરવાનું છે કે તેમને ૧ ટેસ્ટ વધારે રમાડવી છે કે પછી ૨ વનડે કે ૨ ટી-૨૦ ? રેવન્યુના પોઇન્ટ ઓફ વ્યૂથી ટેસ્ટ કરતા વનડે અને ટી-૨૦થી વધુ આવક થશે. અત્યારે નુકસાનની ભરપાઈ વધુ મહત્ત્વની છે. જોઈએ બંને બોડ્ર્સ સાથે મળીને શું નક્કી કરે છે.
ક્રિકેટ : ભારત ઓસ્ટ્રેલિયામાં બે અઠવાડિયા માટે ક્વોરન્ટીનમાં રહેવા તૈયાર

Recent Comments