(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
હરિયાણા સરકારે ઈન્ટરનેટ સેવાઓ (૨જી, ૩જી, ૪જી સીડીએમએ, જીપીઆરએસ) અને તમામ એસએમએસ સેવાઓ (બેન્કિંગ અને મોબાઈલ રિચાર્જ સિવાય) અને સોનીપત, પલવાલ અને ઝજ્જર જિલ્લામાં મોબાઈલ નેટવર્ક પર ઓફર કરેલી તમામ ડોંગલ સેવાઓનો સમયગાળો વધાર્યો છે. દિલ્હી સિંઘુ બોર્ડર પર થયેલી હિંસા બાદ હરિયાણા સરકાર પણ સામે આવી છે. હરિયાણા સરકારે તાત્કાલિક અસરથી રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ પછી હરિયાણાના ૧૭ જિલ્લા એવા બન્યા છે, જ્યાં ઈન્ટરનેટ બંધ છે. અગાઉ રાજ્યના ત્રણ જિલ્લા સોનીપત, પલવાલ અને ઝજ્જરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. આ પ્રતિબંધ ૩૦ જાન્યુઆરી શનિવારે સાંજે ૫ વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યના અંબાલા, યમુનાનગર, કુરૂક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાણીપત, હિસાર, જીંદ, રોહતક, ભિવાની, ચરખી દાદરી, ફતેહાબાદ, રેવારી અને સિરસા જિલ્લાઓમાં વોઈસ કોલ સિવાય ૫ જાન્યુઆરી ૩૦ સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના ત્રણ જિલ્લા સોનીપત, પલવાલ અને ઝજ્જરમાં ઈન્ટરનેટ સેવાઓ ૨૬ જાન્યુઆરીની સાંજથી બંધ છે. આ જિલ્લાઓમાં, પહેલાં ૨૪ કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી અને પછીથી તેમાં વધારો કરવામાં આવ્યો હતો.
Recent Comments