(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
કોરોના વાયરસની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું, જેને પગલે આ લોકડાઉનનો સૌથી વધુ ભોગ સ્થળાંતરીત મજૂરો બન્યા હતા. મજૂરોએ અનેક પીડા સહન કરીને પોતાના વતન જવું પડ્યું હતું. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ શહેરમાં એમ જ નથી આવતો, ગરીબી અને બેરોજગારી તેને શહેરમાં આવવા મજબૂર કરે છે. દુઃખ અને ભયને કારણે મજૂરો પરત ચાલતા જવા માટે મજબુર થયા. સરકારે મજૂરો માટે બધી જ વ્યવસ્થા કરી છે પણ તેમનામાં એક સકારાત્મક્તા જગાવવી જરૂરી છે. અનેક રાજ્યોમાં મજૂરો પગપાળા ચાલીને ગામડે જઈ રહ્યા છે, અનેકનાાં મોત નીપજ્યા છે. આ સ્થિતિ વચ્ચે નીતિન ગડકરીએ કહ્યું હતું કે, આ ગંભીર સ્થિતિનું કારણ લોકોમાં રહેલો ભય છે જેને દૂર કરવો જરૂરી છે. આ સાથે જ નીતિન ગડકરીએ કહ્યું હતું કે, એવા વિસ્તારો કે જ્યાં વિકાસ નથી થયો ત્યાં વિકાસ પહોંચાડવો પડશે, ગરીબી અને બેરોજગારીને કારણે લોકો શહેરોમાં આવે છે. મજૂરોને એ સમજાવવું પડશે કે હવે ટૂંક સમયમાં ઉદ્યોગો પાછા શરૂ થશે, તેમ છતાં જો મજૂરો ઘરે જવા માંગતા હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકાર અને સમાજે મળી તેની વ્યવસ્થા કરવી જોઈએ.
ગરીબી અને બેરોજગારી વ્યક્તિને શહેર તરફ લાવવા મજબૂર કરે છે : ગડકરી

Recent Comments