(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧ર
ગુજરાતમાં અશાંત વિસ્તારોમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા આવા વિસ્તારોમાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવાની જોગવાઈ કરવા ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલ સુધારા કાયદાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. જેને પગલે હવે આ કાયદો રાજયમાં અમલમાં આવશે. જેમાં ગુના માટે ૩થી પાંચ વર્ષની સજા અને આકરો દંડ અમલમાં આવશે. આ કાયદો ગુજરાત વિધાનસભામાં પાસ કરાયો હતો. આ મામલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, હવેથી મિલકતની ગેરકાયદે તબદિલી પર રોક લાગી જશે અને અશાંતગ્રસ્ત વિસ્તાર નક્કી કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે. હવેથી અશાંત ધારાનો ભંગ કરનારને ૩-૫ વર્ષની જેલ અને એક લાખની દંડની જોગવાઈ કરાઈ છે. જેમાં જેલ ૧ લાખ અથવા મિલકતની જંગીની કિંમતના ૧૦ ટકા બેમાંથી જે વધુ હોય તે દંડ વસૂલાશે. આ વિધેયકથી અશાંત વિસ્તારમાં મિલકતની ફેરબદલી પર પ્રતિબંધ, પ્રતિબંધના ચુસ્ત અમલ માટે સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ કોંગ્રેસના સમયમાં બિલ પસાર કરાયુ હતું બાદમાં ૧૯૯૧માં પસાર થયુ હતું. અશાંત ધારાનો કેટલાક લોકો છટકબારીનો ગેરલાભ લેતા હતા. પરંતુ મલિન ઇરાદા વાળા કોઈ સમુદાયને હેરાન ન કરી શકે માટે આ વિધેયર પસાર કરવામાં આવ્યું હતું. પહેલા અશાંત ધારાવાળા વિસ્તારમાં ૧૦૦ રુપીયાના સ્ટેંમ્પ પર ખરીદ વેચાણ થતુ હતુ સીધા જઈને નોંધણી થતી હતી પરંતુ હવે હવે પહેલા કલેકટર પાસે જવુ ફરજીયાત બની રહેશે. કોમી તોફાનો પછી મિલકતોની ખરીદ-વેચાણની ફરિયાદો વધી જતી હતી. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો. મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યના કોઈ ચોક્કસ વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવા અંગે નિર્ણય લેવા માટે મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવશે,
Recent Comments