(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૧
ગુજરાત હાઈકોર્ટે પોલીસને સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નવસારી જિલ્લામાં માર્ચ મહિનામાં કૂતરાઓ દ્વારા માર્યા ગયેલા તરછોડી દેવાયેલા નવજાત બાળકીના કેસમાં યોગ્ય તપાસ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ ?
બુધવારે ન્યાયાધીશ બી.એન. કારિયાએ જલાલપોરના પોલીસ ઇન્સ્પેક્ટરને કાયદામાં નક્કી કરેલી કાર્યવાહીના પાલન અંગે સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું. કિર્તીકુમાર ભટ્ટ દ્વારા દાખલ કરેલી અરજી સ્વીકારતાં હાઇકોર્ટે ૧૭ જૂન સુધીમાં જવાબ માંગ્યો છે. વકીલે દાવો કર્યો છે કે જલાલપોર પોલીસે પ્રાણીઓની હત્યાના કેસમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૭૪ માં જણાવેલ જોગવાઈઓ મુજબ કેસની તપાસ કરી નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે આ પ્રકારના મૃત્યુમાં પોલીસ સામાન્ય રીતે તેમની તપાસમાં પ્રાણીઓ દ્વારા હત્યાના પાસાની અવગણના કરે છે, જે મૃતદેહ શોધી કાઢયા બાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને બોલાવવા અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટના જિલ્લા મેજિસ્ટ્રેટને અંતિમ તપાસ રિપોર્ટ સુપરત કરવાના આદેશ આપે છે આગળની કાર્યવાહી કરવા માટે.
અરજદારે સમાચારોના અહેવાલો ટાંકીને રજૂઆત કરી હતી કે જલાલપોર પોલીસે ૧૪ માર્ચે કુતરાઓ દ્વારા એક ત્યજી દેવાયેલા બાળકની હત્યા કર્યા બાદ એફઆઈઆર નોંધી હતી. પોલીસે બાળકને તરછોડી દેવા માટે આઈપીસીની કલમ ૩૧૭ હેઠળ એફઆઈઆર નોંધી હતી. વકીલએ દાવો કર્યો હતો કે પોલીસે માત્ર ત્યાગના પાસાની તપાસ કરી હતી અને પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલ માનવીની હત્યાની અવગણના કરી હતી, જેના માટે સીઆરપીસીની કલમ ૧૭૪માં કાર્યવાહી કરવામાં આવી ન હતી.
એડ્વોકેટ ભટ્ટે પણ એપ્રિલ મહિનામાં ગોધરાના એક નર્સિંગ હોમમાંથી નવજાત શિશુને કૂતરા દ્વારા ખેંચી જઈને હત્યાના બનાવની ઘટનામાં યોગ્ય તપાસની માંગ માટે આ મહિનાની શરૂઆતમાં અરજી કરી હતી. હાઇકોર્ટે આ ઘટના અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ૨૭ મે સુધીમાં કાર્યવાહી કરેલો અહેવાલ માંગ્યો છે.
સત્તાધીશોને વિવિધ દિશાનિર્દેશોની માગણી કરતા રખડતા કૂતરાઓ સંદર્ભે એડવોકેટ ભટ્ટે હાઇકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરી છે.
ગુજરાત હાઈકોર્ટે પોલીસને સોગંદનામું રજૂ કરવા કર્યો આદેશ

Recent Comments