(એજન્સી) નવી દિલ્હી,તા.૧૯
ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોના રક્ષણ સંદર્ભે અદાલતોની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે, “અટકાયતમાં રહેલા લોકો સાથે થઇ રહેલ અન્યાયની માત્રાને બાકીનો ભારત સમજી લેશે. ચિદમ્બરમે શ્રેણીબદ્ધ ટિ્વટોમાં જમ્મુ કાશ્મીરમાં લાગુ કરાયેલ લોકડાઉનને લોકડાઉનની અંદર લોકડાઉન હોવાની વાત કહી હતી. તેમણે કહ્યું, ગઈકાલે અમે લોકડાઉન ૪-૦ની શરૂઆત કરી હતી, ત્યારે મારા વિચારો કાશ્મીરના લોકો સાથે હતા, જે લોકડાઉનના ભયંકર લોકડાઉનમાં છે. સૌથી વધુ પીડિત લોકો મહેબૂબા મુફ્તી અને તેના વરિષ્ઠ સાથીઓ છે. જે હજી પણ એક દેશના લોકડાઉનમાં અને બીજા રાજ્યના લોકડાઉનમાં એમ બે લોકડાઉનો વચ્ચે અટકાયતમાં છે. તેઓ દરેક માનવ અધિકારથી વંચિત છે.
૫ મી ઓગસ્ટથી, જ્યારે કેન્દ્રએ બંધારણની કલમ ૩૭૦ હેઠળ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ્દ કર્યું હતું ત્યારે પૂર્વ મુખ્ય પ્રધાનો મહેબુબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા સહિત ઘણા રાજકીય નેતાઓને જાહેર સલામતી અધિનિયમ (પીએસએ) હેઠળ નિવારક અટકાયત માં લેવામાં આવ્યા હતા. ઘણા મહિનાની અટકાયત બાદ અબ્દુલ્લાઓને મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે મહેબૂબાની પીએસએ હેઠળની અટકાયત ચાલુ જ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન, કે જેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો ત્યારે જમ્મુ અને કાશ્મીરને પણ સંભાળ્યા હતા, આ અંગે અદાલતોની ટીકા કરી હતી. ચિદમ્બરમે ટિ્વટર પર જણાવ્યું હતું કે, હું માનતો નથી કે લગભગ ૧૦ મહિનાથી અદાલતો નાગરિકોના માનવાધિકારની સુરક્ષા માટે તેમની બંધારણીય ફરજ બજાવી રહી છે.
ચિદમ્બરમે જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોના રક્ષણમાં અદાલતોની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા

Recent Comments