(એજન્સી) તા.૪
શુક્રવારે તુર્કીએ પાછલા ર૪ કલાકમાં કોરોનાથી ૧ર,ર૦૦થી વધુ પીડિત અને ર૧ર નવા મૃત્યુની સૂચના આપી. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ નવા કેસમાં ૧૯૦૮ રોગસૂચક દર્દી સામેલ છે. પીડિતોની સંખ્યા રરર મિલિયનથી વધુ થઈ ગઈ, જ્યારે મૃતકોની સંખ્યા ર૧,૦૯૩ થઈ ગઈ. ગત દિવસે સંપૂર્ણ દેશમાં કુલ ૧,પ૮,૧૦૩ કોરોના પરીક્ષણ થયું, જેનાથી કુલ ગણતરી ર૪.૬૬ મિલિયનથી વધુ થઈ ગઈ. ગંભીર સ્થિતિમાં દર્દીઓની સંખ્યા ઘટતી ૩૮૯૧ રહી ગઈ, જે નવીનતમ આંકડા દર્શાવે છે. આરોગ્યમંત્રી ફહાર્ટન કોકાએ એક ટિ્વટમાં જણાવ્યું કે, સક્રિય મામલાઓની સંખ્યા અને ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો જારી છે. અમારા નુકસાન ઓછું થવા લાગ્યું છે. તુર્કીએ રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની શરૂઆત કરતા પારંપારિક નવા વર્ષની રજાને ગુરૂવારે રાત્રે ૪ જાન્યુઆરી સુધી શરૂ કરવા માટે કોરોના વાયરસ પ્રસારને રોકવાના ઉપાયોના ભાગ તરીકે શરૂ કર્યો. કર્ફ્યુ ગુરૂવારે રાત્રે ૯ વાગ્યાથી શરૂ થયું અને સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારે પાંચ વાગે સમાપ્ત થશે.
Recent Comments