(એજન્સી) દેવબંદ, તા.૧૯
દારૂલ ઉલુમ દેવબંદે એક ફતવો બહાર પાડી આ વર્ષે ઈદની નમાઝ ઘરે પઢવાનું કહ્યું હતું. કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન વચ્ચે આ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. દારૂલ ઉલુમના પ્રવક્તા અશરફ ઉસ્માનીએ કહ્યું હતું કે, એક પ્રશ્નના જવાબમાં આ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. આ ફતવામાં કહેવામાં આવ્યું હતું કે, હાલના સમયમાં જેવી રીતે શુક્રવારની નમાઝ પઢવામાં આવે છે તેવી જ રીતે ઈદની નમાઝ પઢવામાં આવે. લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારના ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત છે.
દારૂલ ઉલુમ દેવબંદે ફતવો બહાર પાડી મુસ્લિમોને ઈદની નમાઝ ઘરે પઢવા કહ્યું

Recent Comments