અંકલેશ્વર, તા.૨૧
ઝઘડીયાના જામોલી ગામે દીપડાનો આતંક વધતા વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં દીપડો પાંજરે પણ પુરાયો હતો. જો કે પાંજરૂ લોક ન થતાં અડધા ક્લાક સુધી પાંજરે પુરાયેલો દીપડો પલાયન થઈ ગયો હતો.
ઝઘડીયાના જામોલી ગામે દીપડાનો આંતક વધતાં વન વિભાગ દ્વારા પાંજરૂં ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં આજે સવારના સમયે દીપડો પુરાયો હતો. આ અંગેની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને દીપડાના ફોટા પણ પાડ્યા હતા પરંતુ આ બાદ જે થયું તેનાથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લગભગ અડધો કલાક સુધી દીપડો પાંજરામાં જ પુરાયેલો રહ્યો હતો. જો કે પાંજરૂ લોક ન થતાં દીપડો લોકો વચ્ચેથી જ જંગલ વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો. સદનસીબે દીપડાએ નજીકમાં ઉભેલા લોકો પર હુમલો કર્યો ન હતો.
આ અંગે રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર મહેશ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે દીપડાને પકડવા પાંજરૂં મૂકવામાં આવ્યું હતું પરંતુ કોઈ ક્ષતિના કારણે પાંજરાનો દરવાજો બરાબર બંધ થયો ન હતો આથી દીપડો ભાગી ગયો છે. વન વિભાગ દ્વારા પુનઃઆજ સ્થળે પાંજરૂં ગોઠવી દીપડાને પકડવા કવાયત શરૂ કરવામાં આવી છે.
પાંજરૂ લોક ન થતાં દિપડો ભાગી ગયો ઝઘડીયાના જામોલી ગામે પાંજરામાં પુરાયેલ દિપડો પલાયન થઈ ગયો

Recent Comments