પ્રાંતિજ, તા.ર૪
પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ શ્રી રાંદલ મહાકાલી મંદિર ખાતે હાથ-પગ તથા ઢીંચણના દુખાવાનો આજે મફત નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હાથ-પગ ઘૂંટણનો દુખાવો થતા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં અમદાવાદની હોસ્પિટલના તબીબ ડો.જેસીન પટેલે દર્દીઓની એકસરે ફોટો કોપી પડાવી, હાથપગ ઢીંચણના દુખાવાઓ સહિતનું મફત નિદાન કર્યુંહતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા તથા પાલિકાના પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી ઉપસ્થિત રહ્યા હતાં. તો વિજયભાઈ પટેલ, હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ, શૈલેષભાઈ ત્રિવેદી, વિપુલ ભોઈ વગેરેએ ઉપસ્થિત રહીને સેવા આપી હતી.
Recent Comments