(એજન્સી) તા.૫
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે તેની વચ્ચે બિહાર ચૂંટણી માટે પોતાની છેલ્લી રેલીને સંબોધન કરતા મુખ્યમંત્રી નીતિશકુમારે ધમદાહામાં એક મોટી જાહેરાત કરી હતી. નીતિશકુમારે કહ્યું કે, આ મારી અંતિમ ચૂંટણી છે.
ઉલ્લેખનીય છે કે, એનડીએ ગઠબંધન તરફથી નીતિશકુમાર મુખ્યમંત્રીનો ચેહરો છે અને છેલ્લા ૧૫ વર્ષથી રાજ્યની સત્તા સંભાળી રહ્યા છે. નીતિશકુમાર સતત ચોથી વખત ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બનવાના પ્રયાસો કરી રહ્યા છે. એવામાં ચૂંટણી મંચ પરથી પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે. પોતાના લાંબા કાર્યકાળ બાદ પણ પોતાની સભાઓ કહી રહ્યા છે કે, તેઓને ફરી મોકો મળશે તો બાકી રહેલા કામ પૂરા કરી બિહારને વિકસિત રાજ્ય બનાવી દેશે. બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે ૭ નવેમ્બરે ૭૮ સીટો પર મતદાન થશે. આ તબક્કાની ચૂંટણી આમ પણ રાજકીય દળો માટે મહત્ત્વપૂર્ણ છે. પરંતુ મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળ અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાં સામેલ જનતા દળ માટે પોતાની જૂની સીટો બચાવી રાખવા માટે પડકાર છે. નીતિશકુમારે વર્ષ ૨૦૦૪માં પોતાની છેલ્લી ચૂંટણી લડી હતી, જેમાં તેમને નાલંદાથી જીત મળી હતી. જ્યાર બાદ નીતિશકુમારે કોઈ ચૂંટણી નથી લડી. નીતિશકુમારે વર્ષ ૧૯૭૨માં બિહાર એન્જિનિયરિંગ કોલેજથી શિક્ષણ મેળવ્યું. તેમણે કેટલાક સમય સુધી બિહાર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડમાં નોકરી પણ કરી. પરંતુ જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા જેવા નેતાઓના સંપર્કમાં આવ્યા બાદ નીતિશકુમાર રાજનીતિને સમર્પિત થયા. નીતિશકુમાર ૬ વખત બિહારના મુખ્યમંત્રી રહ્યા. વર્ષ ૨૦૦૪ બાદ તેમણે કોઈ ચૂંટણી નથી લડી. નાલંદાથી સાંસદ રહેલા નીતિશકુમાર નવેમ્બર ૨૦૦૫માં દ્ગડ્ઢછની રાજ્યમાં સત્તા આવતા મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે સાંસદ પદથી રાજીનામું આપીને બિહાર વિધાન પરિષદની સદસ્યતા મેળવી હતી.