મહુવા, તા.૧૯
દ્વારકાના સસ્પેન્ડેટ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે જેના વિરોધમાં ભાવનગર જિલ્લાના મહુવામાં તા.ર૦/૬/ર૦ર૦ શનિવારના રોજ બંધ રાખવામાં આવેલ છે. આ હુમલા અંગે મહુવાના મુસ્લિમ સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા નગરને બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત, પબુભા માણેક તલગાજરડા બાપુ પાસે આવીને માફી માંગે તેવી લોકોની માગણી છે.
મોરારીબાપુ પર કરાયેલ હુમલાના પ્રયાસના પડઘા; આજે મહુવા બંધ

Recent Comments