અમદાવાદ, તા.ર૩
રાજકોટમાં માત્ર ૧ર કલાકના ટૂંકા જ સમયગાળામાં એક જ પરિવાર સંલગ્ન પાંચ સભ્યોના કરૂણ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ગઈકાલે તા.રરના રોજ રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં રૂખડિયા કોલોનીમાં ઈમરાન પઠાણ નામનો શખ્સ જાહેરમાં તેની પત્ની નાઝિયા, તેના મામ નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં નાઝિયા અને તેના મામા નઝીર પઠાણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ પતિ ઈમરાને પોતાના બે બાળકો સાથે અગન પછોડી ઓઢી લેતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા આજે ત્રણેયના કરૂણ મોત નિપજ્યા હતા. આમ માત્ર ૧ર કલાક જેટલા સમયમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત થતાં વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં રૂખડિયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝિયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં નાઝિયા અને તેના મામા નઝીરના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ફિરોજાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આરોપી પતિ ઈમરાન પઠાણે પત્ની અને તેના મામાની હત્યા કર્યા બાદ બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈમરાન અને તેના પુત્ર-પુત્રીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે ત્રણેયનાં મોત નિજ્યા છે. ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે પત્ની અને તેના મામાની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. ઈમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા વચ્ચે પારિવારીક ઝઘડો ચાલતો હતો. આથી બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલતો હતો, પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે એ મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને કેસનો ખાર રાખી લોહિયાળ ખેલ ખેલાયો હતો. ઈમરાનની પત્નીએ ૧૮૧ અભયમને બોલાવી હતી. તેનો ખાર રાખી બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો હતો. હત્યારા ઈમરાન પઠાણના સાસુ ફિરોજાબેન મુરમદભાઈ ફરિયાદી બન્યા છે. પોલીસ દ્વારા ફિરોજાબેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાઝિયા પઠાણે ૧૮૧ ટીમને ફોન કર્યો હતો એટલે ટીમ દોડી આવી હતી. બાદમાં નાઝિયા, તેના મામા નઝીર અને સાસુ ફિરોજાબેનને મહિલા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. મહિલા પોલીસ સ્ટેશનથી બધા નિકળ્યા ત્યારે પાછળથી ઈમરાને છરી વડે હુમલો કર્યો હતો. રાજકોટ ઝોન રના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ ઈમરાન પઠાણ તરીકે થઈ હતી. તેને પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. જો કે, કોર્ટ દ્વારા સમાધાન થતા પત્ની પતિ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન પત્ની માતા પાસે આવી હતી. ત્યારે ઈમરાને હુમલો કરીને પોતાની પત્ની, તેના મામા અને સાસુ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને મામાનાં મોત થયા હતા. જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈમરાન અને તેના પુત્ર ઈકાન તથા અલવીરાને સિવિલ હોસ્પિટલે બર્ન્સ વોર્ડમાં દાખલ કરાયા ત્યારે માસૂમ સંતાનોને શું થયું ? તે અંગે પૂછાતા બંનેએ કહ્યું હતું કે, અમને પપ્પાએ સળગાવી દીધા છે. એ પછી ઈમરાને પણ કબૂલ્યું હતું કે, મારી જીવવું નહોતું મારા પછી આ બાળકોનું કોણ ? એટલે એમને મારી નાંખવા મેં જ સળગાવી દીધા છે.
રાજકોટમાં માત્ર ૧૨ કલાકમાં એક જ પરિવારના પાંચ લોકોનાં કરૂણ મોતથી અરેરાટી વ્યાપી

Recent Comments