(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૮
કોરોનાની મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજયમાં પોઝિટિવ કેસ ઓછા થવાનું નામ લેતા નથી ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજયમાંની ખાનગી લેબોરેટરીઓને હવે રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જો કે આ લેબોરેટરીઓને કેટલીક ચોક્કસ શરતોના પાલન કરવા સાથે મંજૂરી આપવામાં આવી છે અને તે માટેના દર પણ નક્કી કરવામાં આવ્યા છે.
રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોરોના માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાનો સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે જે તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે.
આરોગ્ય વિભાગની યાદીમા વધુમાં જણાવાયાનુસાર રાજ્યમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ માટે રાજ્યકક્ષાએથી માન્યતા આપવામાં આવેલ છે. વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપીડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધિન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવામા આવી છે જેમાં જે તે લેબોરેટરીમાં એમ.ડી. પેથોલોજિસ્ટ કે એમ.ડી.માઈક્રોબાયોલોજિસ્ટ ફરજિયાત ઉપલબ્ધ હોવા જોઈએ. જે તે લેબોરેટરી પાસે જરૂરી માનવ સંસાધન તેમજ સાધનો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા જોઈએ. લેબોરેટરીએ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે જે તે જિલ્લા/કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા પાસે મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી મેળવ્યા બાદ જ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરી શકશે.
આ ઉપરાત જે લેબોરેટરીને ઇૈંઁઇ ટેસ્ટની મંજૂરી મળેલ હોય તેને પણ રેપિડ એન્ટિબોડી ટેસ્ટની મંજૂરી મેળવવાની રહેશે. લેબોરેટરીએ કરેલા ટેસ્ટની સંપૂર્ણ વિગતો જિલ્લા/કોર્પોરેશનને અચૂક આપવાની રહેશે. તેમજ આ માહિતી દર્દી અને હોસ્પિટલ સિવાય અન્ય કોઈપણ સંસ્થાને આપવાની રહેશે નહીં. જે લેબોરેટરીએ ટેસ્ટ કરવા માટે આઈ.સી.એમ.આર. માન્યતા પ્રાપ્ત ઈન્ૈંજીછ કે ઝ્રન્ૈંછ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કિટ વાપરવાની રહેશે તેમજ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે. લેબોરેટરીઓએ કેન્દ્ર કે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનો અચૂક અમલ કરવાનો રહેશે.
આ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ માટેના દર નિયત કરવામાં આવ્યા છે જેમાં ઈન્જીૈંછ ફોર એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને કરાવે તો રૂા.૪૫૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમાં જઈ સેમ્પલ કલેક્ટ કરે તો રૂા.૫૫૦ જ્યારે ઝ્રન્ૈંછ ફોર એન્ટિબોડી ટેસ્ટ માટે દર્દી લેબોરેટરીમાં જઈને કરાવે તો રૂા.૫૦૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેક્ટ કરે તો રૂા.૬૦૦ના દરો નિયત કરવામાં આવ્યા છે. આ દરમાં તમામ પ્રકારના ચાર્જનો સમાવેશ થાય છે જેથી આ દર્શાવેલા ચાર્જ ઉપરાંત કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લઈ શકાશે નહીં અને જો કોઈ લેબોરેટરી વધારાનો ચાર્જ લેશે તો તેની માન્યતા આપોઆપ રદ્દ ગણાશે, એમ વધુમાં જણાવાયું છે.