અમદાવાદ, તા.૧
દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના સામે લડવા અનેક ઉપાયો હાથ ધરાયા છે. રાજ્યનું આરોગ્ય વિભાગ પણ આ મામલે સક્રિય બન્યું છે. રાજ્યભરમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં સેવારત તબીબોને વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી રાજ્યના એક્ષપર્ટ તબીબો દ્વારા કોવિડ-૧૯ના ક્રિટિકલ દર્દીઓને સાજા કરવા લાઈવ માર્ગદર્શન આપવાના હેતુસર એક વિશેષ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ હાઈરિસ્ક તથા વેન્ટીલેટર કેર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. બેક ઓફિસ ચાલી રહેલા આ ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ દ્વારા અત્યાર સુધીમાં મૃત્યુનું જોખમ જેને સૌથી વધુ છે. એવા કોરોના સંક્રમિત કોવિડ-૧૯ના ર૪ બાળકો, ૩ સગર્ભા અને ૬૮ વૃદ્ધ એમ ૯પ દર્દીઓને સાજા કરવામાં વિશેષ સફળતા મળી છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતી રવિ દ્વારા આ પ્રોગ્રામનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોવિડ-૧૯ હોસ્પિટલોમાં જે દર્દીઓની સારવાર ચાલી રહી છે તેમાં કેટલાક કોમોબીર્ડ અને હાઈરિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ પોતાની અન્ય જટિલ બીમારીઓને કારણે ક્રિટિકલ સ્ટેજ પર આવી જતાં હોય છે. આવા સંજોગોમાં આ દર્દીઓને તે તબીબો માટે ઘણીવાર મૂંઝવણભરી સ્થિતિ ઊભી થાય છે. તબીબોની આ મૂંઝવણ દૂર કરવા માટે રાજ્યના એક્ષપર્ટ તબીબોની ટીમ દ્વારા આ હોસ્પિટલમાં કાર્યરત તબીબોને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવે છે. દર્દીની સ્થિતિ વિશે જાણીને આવા ક્રિટિકલ દર્દીઓનું મૂલ્યાંકન વેબ સિસ્કોના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક યોજીને કોવિડ હોસ્પિટલોના તબીબોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ જ કારણોસર ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ શરૂ કરવાનો આરોગ્ય વિભાગનો નિર્ણય વેન્ટીલેટર કેર દર્દીઓ માટે નવી લાઈફ લાઈન સમાન સાબિત થયો છે. જેના થકી અનેક ક્રિટિકલ દર્દીઓને સાજા કરવામાં સફળતા મળી છે.
રાજ્યમાં ટેલી મેન્ટરિંગ પ્રોગ્રામ દ્વારા ૯પ દર્દીઓને સાજા કરવામાં સફળતા

Recent Comments