(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્વે ધો.૧૦ની વિદ્યાર્થિની ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીએ પરીક્ષાના ટેન્શનમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારનાં સ્વામિનારાયણ મંદિર પાસે સોના એન્કલેવમાં ઋષિતા શીતલભાઇ પટેલ (ઉ.વ.૧૬) પરિવાર સાથે રહેતી હતી. આગામી માર્ચ માસમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની લેવાનારી પરીક્ષામાં ધો.૧૦ની પરીક્ષા આપવામાં આવી હતી. પરંતુ પરીક્ષાના દિવસો નજીક હોવાથી અને પરીક્ષાની તૈયારી પૂરી થઇ ના હોવાથી ડિપ્રેશનમાં આવી ગઇ હતી જેના કારણે તે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ ફતેગંજ પોલીસને થતાં પોલીસ સ્થર પર પહોંચી ગઇ હતી અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજીગંજ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઋષિતા પટેલે બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. ઋષિતાના પિતા એન્જિનિયર છે અને માતા ખાનગી સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવે છે. ઋષિતાની માતા સાંજે ૬ વાગ્યે ઘરે આવતા દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઊઠ્યા હતા. દરમિયાન તેમણે પતિ અને પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના નિઝામપુરામાં બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

Recent Comments