વડોદરા, તા.૧૭
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના મામાની પોળમાં આવેલી દેશી રોટલો કાઠિયાવડી રેસ્ટોરામાં બાંધકામને લઈને વિવાદ સર્જાયો છે. પાલિકાની ટીમ રેસ્ટોરાને સીલ મારવા માટે પહોંચી ત્યારે પોલીસ અને રેસ્ટોરા સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે, છેવટે પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગે રેસ્ટોરાને સીલ માર્યું હતું.
રેસ્ટોરાના સંચાલક અશોક પુરોહિતે જણાવ્યું હતું કે, અમે કોઈપણ પ્રકારનું દબાણ કર્યું ન હોવા છતાં પાલિકાની ટીમ અમારી રેસ્ટોરાને સીલ માર્યું છે અને તાત્કાલિક સામાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ અમે કોઈપણ પ્રકારનું દબાણ કર્યું જ નથી. માત્ર જર્જરિત દીવાલને રંગરોગાન કરીને વ્યવસ્થિત કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમને ખબર પડી છે, બાજુમાં જે જૈન મંદિર આવેલું છે, તેના ટ્રસ્ટી પ્રવિણભાઈ શેઠ છે, તેમના ભાભી શહેરના મેયર જિગીષાબેન શેઠ છે અને તેમના હુકમથી અમારી રેસ્ટોરાને સીલ મારવામાં આવ્યું છે. આ પહેલાં અમને ધમકીઓ પણ મળી હતી કે, તમારી રેસ્ટોરાને સીલ મરાવી દઈશું અને તમને અહીં નહીં રહેવા દઈએ.
જ્યારે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી પરિમલ પટણીએ જણાવ્યું હતું કે, બાંધકામ પરવાનગી વિભાગ દ્વારા ચેન્જ ઓફ વ્યૂ માટે નોટિસ આપવામાં આવી હતી. જે અંતર્ગત રેસ્ટોરાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
વડોદરાના રાવપુરામાં આવેલ કાઠિયાવાડી રેસ્ટોરામાં બાંધકામને લઈને વિવાદ સર્જાયો જો કે છેવટે પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગે રેસ્ટોરાને સીલ માર્યું

Recent Comments