ગાંધીનગર, તા.૩
જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા દર વર્ષે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. યાત્રાળુઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજ્યના વાહન વ્યવહાર કમિશનરશ્રી દ્વારા જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
જેમાં અમરનાથ યાત્રાની સ્પેશીયલ પરમીટ માટે ટુર ઓપરેટરોએ તથા ઓલ ઇન્ડિયા પરમીટ ધરાવતા ઓપરેટરોએ એડવાન્સમાં અમરનાથ યાત્રા બોર્ડ માટેના યાત્રાળુઓના રજીસ્ટ્રેશનની યાદી તેમના માન્ય રજીસ્ટ્રેશન ફોર્મ સાથે સંબંધિત આરટીઓને રજુ કરવાનું રહેશે, ત્યારબાદ જ જે તે ટુર ઓપરેટરને યાત્રા માટે પરમીટ આપવામાં આવશે. અમરનાથ યાત્રામાં ડ્રાઇવર તરીકે જોડાનાર શારીરિક રીતે તંદુરસ્ત હોવા જોઇએ અને તેમની ઉંમર ૫૦ વર્ષથી વધારે ન હોવી જોઇએ. ડ્રાઇવરે શારીરિક યોગ્યતા માટે ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. ડ્રાઇવરે જમ્મુ-કાશ્મીર અને સરકારે નક્કી કરેલા ર્િેંી, ર્ષ્ઠહર્દૃઅ, જીષ્ઠેંૈિઅ અને ંૈદ્બી મુજબ જ વાહન ચલાવવાનું રહેશે. ડ્રાઇવર કોઇપણ સંજોગોમાં જમ્મુ-કાશ્મીર એડમીનીસ્ટ્રેશન દ્વારા નક્કી કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ, ઓપરેશન પ્રોસીજર (ર્જ)ની વિરુધ્ધમાં કોઇ વર્તન વ્યવહાર કરશે નહી. વાહનને ત્યાંની સરકારે નિયત કરેલ જગ્યા ઉપર જ રોકાણ કરવાનું રહેશે.
વધુમાં વાહનના લોકેશન મળી રહે તે માટે ય્ઁજી દૃીરૈષ્ઠઙ્મી ર્ઙ્મષ્ઠટ્ઠર્ંિ બસમાં ફીટ કરેલું જરૂરી હોવું જોઇએ. ઇમરજન્સી ઉપસ્થિત થાય ત્યારે યાત્રાળુઓ કે ડ્રાઇવર કે વાહનમાલિક ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના કન્ટ્રોલ રૂમના નંબર (૦૭૯) ૨૩૨૫૧૯૦૩, ૨૩૨૫૧૯૦૦ તથા તોલ ફ્રી નંબર (૦૭૯) ૧૦૭૦ તથા ફેક્સ નંબર(૦૭૯) ૨૩૨૫૧૬૧૨ અને ૨૩૨૫૧૬૧૬ દ્વારા ગુજરાત સરકારમાં સંપર્ક કરી શકશે. આ તમામ નંબરો બસમાં પણ ડીસપ્લે કરવાના રહેશે. યાત્રીઓએ પરમીટની સાથે પોતાનું ઓળખકાર્ડ અને ડ્રાઇવીંગ લાયસન્સ રાખવું જરૂરી છે. અન્ય રાજ્યોના પ્રિ-પેઇડ સીમકાર્ડ જમ્મુ કાશ્મીર અને યાત્રા ક્ષેત્રમાં કામ કરશે નહી જેથી યાત્રીઓ બેઝ કેમ્પમાં પૂર્વ સીમકાર્ડ ખરીદી તેનો ઉપયોગ કરવાનો રહેશે. કોઇપણ પ્રકારની સહાયતા માટે નજીકના યાત્રા નિયંત્રણ ખંડના એસએબીએસ કેમ્પ ડીરેક્ટરનો સંપર્ક કરવાનો રહેશે. આ અંગે વધુ માહિતી ુુુ.જરિૈટ્ઠદ્બટ્ઠહિટ્ઠંરદ્ઘૈજરિૈહી.ર્ષ્ઠદ્બ પરથી ઉપલબ્ધ થશે તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વાહનના લોકેશન માટે તેમાં જીપીએસ વ્હીકલ લોકેટર ફીટ કરેલું હોવું જરૂરી રહેશે

Recent Comments