અમદાવાદ, તા.ર૪
ગુજરાત યુનિવર્સિટીના ભવનો અને મુખ્ય બિલ્ડીંગમાં વીજપુરવઠો ખોરવાતા તબીબી વિદ્યાશાખા (એમબીબીએસ) અને ફિજીયોથેરાપીના ૮૦૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પરીક્ષા દરમ્યાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરીક્ષા સમયે જ વીજળી ગુલ થતા પરીક્ષા આપનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં ચિંતા વ્યાપી હતી. ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને ર૦૦ કરોડ રૂપિયાના ટેન્ડરોમાં જેટલી અગ્રીમતા-પ્રાથમિકતા અને રસ દાખવી રહ્યા છે તેટલો રસ ઈમરજન્સી વ્યવસ્થા માટે, વૈકલ્પિક વીજપુરવઠા માટે જનરેટરની વ્યવસ્થા હોય તો વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને પરીક્ષા સમયે હાલાકીનો સામનો કરવાની પરિસ્થિતિનું નિર્માણ ના થાત.
ગુજરાત યુનિવર્સિટીના ભવનો સંસ્થા કોલેજોમાં અભ્યાસ કરતા ત્રણ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે યુનિવર્સિટી સત્તાધીશોની બેદરકારી, અસંવેદનશીલતા અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી ભાવિક સોલંકીએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને મોટા-મોટા બિલ્ડીંગ બાંધકામમાં, કરોડો રૂપિયાના ટેન્ડરમાં અને મોટી-મોટી જાહેરાતોમાં રસ છે પણ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની કારકિર્દી માટેની મહત્ત્વની પરીક્ષા માટે સુચારૂ વ્યવસ્થા માટે સત્તાધીશોને કોઈ રસ નથી. વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ઘટનાની તપાસ થવી જોઈએ પરીક્ષા સમયે આ પ્રકારની આકસ્મિક ઘટના માટે વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન થવું જોઈએ.
વીજપુરવઠો ખોરવાતા પરીક્ષા આપી રહેલ ૮૦ વિદ્યાર્થીઓએ હાલાકી વેઠી

Recent Comments