અમદાવાદ, તા.ર૦
રાજ્યમાં કોવિડ-૧૯ રોગચાળાને કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિની અસરોને ધ્યાને લઈ ફી નિયમન સમિતિ (ટેકનિકલ) દ્વારા તમામ સ્વનિર્ભર સંસ્થાઓ અને તેમના સંચાલક મંડળોને તેમની વર્ષ ૨૦૧૯-૨૦ની હયાત ફીમાં એટલીસ્ટ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઈપણ વધારો ન સૂચવવાની અપીલ કરાયેલ હતી જેના જવાબમાં સ્વનિર્ભર કોલેજ અસોસિએશન દ્વારા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ર૦ર૦-ર૧ પૂરતું કોઇપણ પ્રકારનો ફી વધારો કરવામાં આવશે નહીં તેવો સધિયારો અપાયેલ હતો. રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ પણ શિક્ષણમંત્રીને નીચે જણાવેલ બાબતે સહમતી આપી હતી. આમ, શિક્ષણમંત્રી ચુડાસમાના અથાગ પ્રયત્નો, સમિતિની અપીલ અને સ્વનિર્ભર કોલેજ અસોસિએશનના હોદ્દેદારો અને યુનિવર્સિટીના પ્રતિનિધિઓનું સહકારભર્યા વલણથી વર્ષ ૨૦૨૦-૨૧ માટે નક્કી કરાયું છે. જેમાં ફી નિયમન સમિતિ (ટેકનિકલ) દ્વારા ફી નક્કી કરાતી હોય તેવી તમામ સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓમાં કોઇપણ કોર્સની ફી વર્ષ ૨૦૧૯-૨૦ જેટલી જ રહેશે એટલે કે, ર૦ર૦-ર૧ પૂરતું કોઇપણ પ્રકારનો ફી વધારો કરવામાં આવશે નહીં, તેમજ યુનિવર્સિટીઓ દ્વારા જે પોગ્રામની ફી, ફી નિયમન સમિતિ (ટેકનિકલ) દ્વારા નિયત કરાતી નથી તેવા પોગ્રામમાં પણ વર્ષ ર૦ર૦-ર૧ પૂરતું કોઇપણ પ્રકારનો ફી વધારો કરવામાં આવશે નહીં, વિદ્યાર્થી, પોતાના વાલીની આર્થિક અનુકૂળતા મુજબ સેમેસ્ટરની ફી નવેમ્બર/દીવાળી પહેલાં, હપ્તેથી પણ ભરી શકશે અને તે માટે કોઇપણ લેઇટ ફી સંસ્થાઓ/યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવશે નહીં, કોઇપણ સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓ, હયાત કર્મચારીઓને છૂટા કરશે નહીં કે, તેમના પગારમાં ઘટાડો કરશે નહીં, શિક્ષણમંત્રી ચુડાસમાએ તમામ સ્વનિર્ભર કોલેજના સંચાલક મંડળો, સ્વનિર્ભર કોલેજ અસોસિએશન અને યુનિવર્સિટીઓના હોદ્દેદારોનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અથાગ પ્રયત્નોથી તમામ સ્વનિર્ભર કોલેજ-યુનિ.ઓમાં ફી વધારો કરાશે નહીં

Recent Comments