સુરત,તા.ર૦
કોરોના વાયરસને લઇને ચાલી રહેલા લૉકડાઉનમાં ચોથા તબક્કામાં રાજ્ય સરકારે છૂટછાટો આપ્યા બાદ સુરતમાં વેપાર ઉધોગ શરૂ થવાના છે. તેવામાં આજે સુરતથી ૫૧૦૦૦ શ્રમિકોને લઇને સુરતથી ઉતરપ્રદેશની ૨૪, બિહારની ૭ અને ઝારખંડની એક મળીને ૩૨ ટ્રેનો ઉપડશે. લૉકડાઉન બાદ આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર ટ્રેન ઉપડશે. અત્યાર સુધીમાં ૨૦૫ ટ્રેનોમાં ૩ લાખ શ્રમિકોની વતન વાપસી થઇ ચૂકી છે.
કોરોના વાયરસ લઇને લૉકડાઉન વચ્ચે આજથી સુરતમાં તમામ ઉધોગો શરૂ કરવાના છે. તેવામાં આ ઉદ્યોગો શ્રમિકો વગર કેમ ચાલે તે પ્રશ્ન છે. તેવામાં સુરતથી છેલ્લા કેટલાક દિવસ શ્રમિકો ટ્રેન દ્વારા પોતાના વતન તરફ પલાયન કરી રહ્યાં છે. ત્યારે સુરતથી સૌથી વધુ ટ્રેન શ્રમિકોને લઇને તેમના વતન તરફ નીકળશે. આ ટ્રેનોમાં ૩ લાખ શ્રમિકો વતન પહોંચી ગયા છે. ત્યારે આજે ઉતરપ્રદેશની ૨૪, બિહારની ૭, ઝારખંડની એક મળીને કુલ ૩૨ ટ્રેનોની રાજ્ય સરકારે મંજૂૂરી આપી હોવાથી સુરતથી ૫૧૦૦૦ શ્રમિકોને લઇને સુરતથી રવાના થશે. જોકે આજ રીતે શ્રમિકો વતન તરફ જતા રહશે તો સુરતના આજથી શરૂ કરવામાં આવતા ઉદ્યોગો શરૂ થાય તે પહેલા બંધ થઇ જાય તો નવાઈની વાત નથી.
સુરતથી ૩ર ટ્રેનો શ્રમિકોને લઈ વતન તરફ રવાના થતાં ઉદ્યોગો બંધ થવાની ભીતિ

Recent Comments