(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૧
આજે આ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સરકાર અને અરજદારો વચ્ચે કોઈ સમાધાન ના સધાતા બંને પક્ષે આજે દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. અગાઉ કોર્ટે સરકાર અને અરજદારોને આખરી મહેતલ આપી હતી. સ્થાનિકોએ જમીનના બદલામાં યોગ્ય વળતર ન મળ્યું હોવાની કોર્ટમાં કરી હતી રજૂઆત. ૧૦ દિવસમાં બંને પક્ષો સાથે બેસીને સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી કોર્ટ સમક્ષ મૂકે અથવા ૧૦ દિવસ બાદ કોર્ટ લેશે ન્યાયોચિત નિર્ણય. તેવું હાઈકોર્ટે બંને પક્ષકારોને જણાવ્યું હતું. સરકારે મૂળ ખાતેદારોની જમીનની સામે જમીન અને સો સ્ક્વેર ફીટ જગ્યામાં મકાન બનાવી આપવા અને અન્ય સહુલિયત ઉપલબ્ધ કરાવવા આપી કોર્ટમાં અરજદારોને કરાયેલી ઓફર ઉપર કોર્ટે અરજદારોને સરકારે આપેલી ઓફર પર પુનઃ વિચારણા કરવા તક આપી હતી. સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, ૬ ગામના લોકો માટે માત્ર એક ગોકુળ ગામ નહીં, ૬ ગોકુળ ગામ બનાવવા પણ સરકારની તૈયારી છે. અરજદારો જો વાટાઘાટ માટે તૈયાર હોય તો કોર્ટ સમિતિની રચના કરવા પણ નિર્દેશો આપી શકે અને વિવાદનું સુખદ સમાધાનકારી વલણથી નિરાકરણ આવે તેવી હાઈકોર્ટે ટકોર કરી હતી. અગાઉની સુનવણીમા ખેડૂતો દ્વારા સરકારે કરેલ વળતરના પ્રસ્તાવ સામે જવાબ રજૂ કરવામાં આવ્યો. જેમાં ખેતીની જમીન સામે તેમના જ ગામમાં ખેતી માટે જમીન અને રહેવા માટે ઘર અને સ્વરોજગારી આપવામાં આવે તેવી માગણી કરાઈ છે તથા સરકારે રહેવા માટે ૧૦૦ સ્કવેર મીટર જગ્યા આપવા તૈયાર બતાવી હતી પરંતુ ગામના લોકોએ ૫૦૦ સ્કવરે મીટર જગ્યાની માગણી કરી હતી. સરકારે ખેડૂતો દ્વારા કરાયેલ માગણી માન્ય રાખી નોહતી. નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકાના ૪ ગામ જેમાં નવ ગામ, વાગડિયા, ગોરા અને કોઠી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે આવેલા છે જે ગ્રામજનોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા ટુરિઝમ પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી. જેમાં યોગ્ય વળતર ચૂકવાયા નથી. જે બાબતને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકારે કોર્ટમાં તેમને રહેવા અને ખેતી માટે જમીન સહિતની સુવિધા આપવા તૈયારી બતાવી હતી. સરકારે સમગ્ર વિવાદમાં હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે અમે ગ્રામજનોને બે વિકલ્પો આપ્યા છે એક તો તેમની જેટલી જમીન સંપાદિત થઈ છે તેટલી જ જમીન સરકાર આપે અથવા તો સંપાદિત જમીનના રૂપિયા ૭.૫ લાખ પ્રતિ હેક્ટર લેખે વળતર આપવુ તથા ગ્રામજનોના પુખ્ત પુત્રને અથવા પુત્ર નહોય તો અપરણિત પુખ્ત પુત્રીને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે પાંચ લાખ રૂપિયા આપવા. સરકારી પોલીસી પ્રમાણે રહેઠાણ બનાવવા માટે આર્થિક સહાય કરવી. ટ્રાન્સપોર્ટેશન માટે પૈસા આપવા તથા સંપાદિત જમીન ઉપર જો તેઓનું ઘર હોય તો તેનું પણ વળતર ચૂકવવું. આ ઉપરાંત તેઓને રહેઠાણ માટે ૧૦૦ સ્કવેર મીટરના પ્લોટમાં ૨૫ સ્કવેર મીટર બાંધકામ કરી આપવું તથા આ રહેઠાણોને પાકા રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધા પૂરી પાડી અને સાથે સાથે પ્રાઇમરિ સ્કૂલ અને આંગણવાડીની તથા હેલ્થ કેરની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. ખેડૂતો દ્વારા સરકારની ઓફર સામે પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરવા સમય માંગવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ૪ ગામોના લોકો દ્વારા હાઇકોર્ટમાં જાહરહિતની અરજી કરવામાં આવી હતી અને ગુજરત હાઇકોર્ટે ગ્રામજનોના હિતમાં વચગાળાની રાહત આપી છે વિકાસની સાથે સરકારે કરોડોના ખચે નર્મદા કેવડિયા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટુરીઝમ ઊભું કરાયું છે જેમાં નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકાના ૪ ગામ જેમાં નવ ગામ, વાગડિયા, ગોરા અને કોઠી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે આવેલા છે જે ગ્રામજનોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા ટુરીઝમ પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી જેમાં યોગ્ય વળતર ન ચૂકવાયા નથી જે બાબતને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો. સરકારે આ મામલે જવાબ રજૂ કરતા વળતરની તૈયારી બતાવતા આજે ખેડૂતોએ સરકારના પ્રસ્તાવ સામે પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ૬ ગામોના લોકો દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજીનો મામલો

Recent Comments