અમદાવાદ, તા.રપ
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ ગુરૂવાર ર૬ જુલાઇએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષમાં બપોરે ૩ કલાકે યોજાનારા ૧૮૪માં ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ર૦૦૩ની ર૪મી એપ્રિલે સામાન્ય માનવીની રાવ-ફરિયાદના ટેકનોલોજી વિનિયોગથી સ્થળ પર નિવારણના ઉપક્રમ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી (જીઉછય્છ્)નો પ્રારંભ કરાવ્યો હતો. દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતા આ રાજય સ્વાગત ઓનલાઇનની અત્યાર સુધીમાં ૧૮૩ સફળ શૃંખલા સંપન્ન થઇ છે. રાજ્ય સ્વાગતમાં મળેલી રજૂઆતોમાં ૯૩.૩૮ ટકા રજૂઆતોનું સુખદ નિરાકરણ થયું છે. આવતીકાલે આ રાજય સ્વાગતની ૧૮૪મી કડીમાં શ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહી પ્રજાજનોની રજૂઆતો-રાવ-ફરિયાદ કાને ધરશે. રાજ્ય સ્વાગત સાથોસાથ ર૦૦૩માં જ દર મહિનાના ચોથા ગુરૂવારે જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાની રજૂઆતો રાવ-ફરિયાદનું જે તે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને નિવારણ લાવવાનો ઉપક્રમ શરૂ થયો હતો. તેમાં અત્યાર સુધી મળેલી ૮પ૩પ૭ રજૂઆતોમાંથી ૮પર૦૩નો નિવેડો લાવી દઇ ૯૯.૮ર ટકા સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.
સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે ગાંધીનગરમાં થશે

Recent Comments