(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
સુરત મનપાના હદ વિસ્તરણની આજે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં ૧૮ ગામ, એક ફળિયું અને બે નગરપાલિકાને સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે જ સાંજે યોજાનાર સામાન્ય સભામાં દરખાસ્તને મંજૂર કરી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. સુરત પાલિકામાં ૨૨ ગામો અને ૨ નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી. ભાંઠા અને કામરેજમાં આ બાબતે વિરોધનો વંટોળ ઊભો થયો હતો. આ સંજોગોમાં સ્થાયી સમિતિએ ગત ૧૨મી ડિસેમ્બરના રોજ વિવાદના મધપૂડાને છંછેડ્યા વગર નિર્ણય મુલતવી રાખ્યો હતો. ત્યારબાદ ભાજપની મહાસંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જો કે, ત્યારે પણ કોઈ નિર્ણય લેવાયો ન હતો. દરમિયાન આજે સ્થાયી સમિતિની બેઠકમાં ૧૮ ગામ, એક ફળિયું અને બે નગરપાલિકાને સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે જ સાંજે યોજાનાર સામાન્ય સભામાં દરખાસ્તને મંજૂર કરી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. કામરેજ નજીક આવેલા નવાગામ, લસકાણા, ખોલવડ અને પાસોદરા આ ચાર ગામને પણ શહેરમાં સમાવવાને લઇ વિરોધનો વંટોળ ઊઠ્યો હતો. ગત ૧૧મી ડિસેમ્બરના રોજ શહેર ભાજપ-જિલ્લા ભાજપ તથા જિલ્લા પંચાયતના આગેવાનોની શહેરમાં ૨૨ ગામો અને ૨ નગરપાલિકાને સમાવવા મુદ્દે એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપરોકત ચારેય ગામને શહેરમાં સમાવવા અંગે વિરોધ કરાયો હતો. બેઠકમાં એવો સૂર ઊઠ્યો હતો કે, આ ચારેય ગામ પાલિકામાં લઇ લેવાય તો જિલ્લા પંચાયતનો મહત્ત્વનો વિસ્તાર નીકળી જાય એમ છે. પાલિકામાં સામેલ ૧૯ ગામડાની યાદી સેગવા-સ્યાદલા, વસવારી, ગોથાણ, ઉમરા, ભરથાણા-કોસાડ, પારડી-કણદે, સચિન (નગરપાલિકા), તલંગપુર, પાલી, કનસાડ (નગરપાલિકા), ઉંબર, કાંદી ફળિયા, ભાટપોર, ભાઠા, ઈચ્છાપોર, ભાટપોર, અસારમા, ભેસાણ, ઓખા, વણલકા, વિહેલ, ચીચીનો સુરતમાં સમાવેશને મંજૂરી અપાઈ છે, જ્યારે પ્રવેશદ્વાર સમાન પારડી-કણદે ગામનો પણ નથી, દરખાસ્તમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ઉબેર ગામનો પણ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
૧૮ ગામ, એક ફળિયું અને બે નગરપાલિકાને મનપાની હદમાં સમાવવાનો નિર્ણય કરાયો

Recent Comments