Gujarat

અમરેલીના ભાજપ કાર્યકરનું કોરોનાથી અમદાવાદમાં સારવાર દરમ્યાન મોત

(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૩
અમરેલીના ભાજપના કાર્યકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે તેનું અમદાવાદ ખાતે સારવારમાં મોત થયું હતું. ભાજપના કાર્યકરનાં મોતથી અમરેલી જિલ્લાના ભાજપમાં શોકનો માહોલ છવાયેલ હતો. અમરેલી જિલ્લામાં પ્રથમ રાજકીય કોઈ અગ્રણીનું મોત થયું હોવાનો બનાવ બનતા સમગ્ર જિલ્લાના રાજકીય પક્ષોમાં શોકનું વાતાવરણ જોવા મળેલ હતું. એક માત્ર અમરેલી જિલ્લો ૫૬ દિવસ બાદ અન્ય જિલ્લામાંથી આવેલ લોકોના પ્રવેશથી કોરોનાગ્રસ્ત થયા બાદ આજે કોરોના પોઝિટિવ કેસ સેન્ચુરી નજીક આવેલ છે અને મૃત્યુ આંક ૯ પર પહોંચ્યો છે ત્યારે આજે અમરેલીના એક ભાજપના રાજકીય કાર્યકર કિરીટ વામજાનું કોરોનાથી મોત થતાં સમગ્ર જિલ્લાના રાજકીય પક્ષોમાં શોકનો માહોલ છવાયેલ હતો. કિરીટ વામજાનો કોરોનાનો રિપોર્ટ ૨૨ જૂનના રોજ આવેલ અને પ્રથમ અમરેલી સારવાર લીધા બાદ તબિયત લથડતાં અમદાવાદ ખાતે એસવીપી હોસ્પિટલમાં સારવારમાં હતા જ્યાં આજે તેમનું મોત થયેલ હતું. ભાજપના કાર્યકરનાં મોતથી ભાજપ પરિવાર દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.