(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૯
આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ હવે વકરી રહ્યું છે અને દરરોજ કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે જિલ્લામાં વધુ ૧૧ કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. જેમાં પાંચ કેસ આણંદ શહેરના છે.
આણંદ શહેરમાં લોકલ સંક્રમણ હવે ઝડપથી વધી રહ્યું છે અને કોરોના સંક્રમણ વકરી રહ્યું હોય તેમ કોરોના પોઝિટિવના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આજે જિલ્લામાં વધુ ૧૧ કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે તેમજ નુરઅલી સુરાની, દીલબાનું સુરાની, રમણ વાઘેલા, મુસ્તાક વ્હોરા. ગુલુભાઈ રાઠોડ, રમેશવાઘેલા, શૈલેષપટેલ, કૌશર દિવાન, જિલ્લા ભારતની મહામંત્રી સુભાષ બારોટ, મંજુલા પટેલ, ફાતમા કાજી સહિત ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૯ દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં અને બે દર્દીઓ આણંદની જનરલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જે પૈકી ૩ દર્દીઓને ઓક્સિજન પર, એક દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેમજ જ્યારે અન્ય દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે.
આંકલાવ નગરપાલિકાના ચીફ ઓફિસર કિશોર એફ. ખ્રિશ્ચીયનનો આજે કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. જેઓને અમદાવાદની હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.