(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
આસામમાં કુલ વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા ૩૪ ટકા છે જેમાંથી મોટાભાગના બંગાળના છે જેઓ છેલ્લા ૧૦૦ વર્ષથી અહીં વસવાટ કરી રહ્યા છે. આમાંથી મોટાભાગના મુસ્લિમો ગરીબ, અભણ અને ખેતમજૂર છે. ભાજપ અને તેની વિચારધારા સાથે સહમતી ધરાવતીરાજકીય પાર્ટીઓ કહે છે કે, આસામમાં વસતા મુસ્લિમો બાંગ્લાદેશથી ભાગીને અહી ંવસી ગયા છે. ચૂંટણીપંચે આ લોકોને શંકાસ્પદ મતદારોની યાદીમાં સામેલ કર્યા છે જેઓ પોતાની નાગરિકતાના પુરાવા રજૂ કરવા માટે અક્ષમ છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઓળખવા માટે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આસામના નાગરિકોની યાદી તૈયાર થઇ રહી છે.રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરની અંતિમ યાદી જૂનમાં બહાર પાડવામાં આવશે. એનઆરસીના કોઓર્ડિનેટર શ્રી પ્રતીકે કહ્યું છે કે, ડી વોટર્સ અથવા જેઓ વિદેશી નાગરિકો છે તેઓને એનઆરસીમાં સમાવેશ કરવામાં નહીં આવે. દરમિયાન ૨૯ લાખ મહિલાઓએ પંચાયત સર્ટિફિકેટ રજૂ કરીદીધા છે છતાંતેમની રાષ્ટ્રીયતા આંચકી લેવામાં આવશે.તેઓ કહ્યું છે કે, એ કહેવું મુશ્કેલ છે કે, કેટલા લોકોની નાગરિકતા અને રાષ્ટ્રીયતા કાઢી નાખવામાં આવી છે. આ એક પરીક્ષા છે અને તેનું પરિણામ હવેજાહેર થશે. નાગરિક સમાજ અને માનવ અધિકાર જૂથ અનુસાર એનઆરસી બહાર પડાયા બાદ લાખો આસામના મુસ્લિમો પોતાની નાગરિકતા ગુમાવશે. જસ્ટિસ ફોરમના અબદુલ બાતિને કહ્યું છે કે, ડી વોટર્સ અને વિદેશીઓની સંખ્યા આશરે પાંચ લાખ છે અને તેમના બાળકોની સંખ્યા આશરે ૧૫ લાખ હશે. તેઓને આ યાદીમાં સામેલ કરાશે નહીં. તેમણે એવો ભય વ્યક્ત કર્યો છે કે, આશરે ૨૦ લાખ બંગાળી મુસ્લિમો પોતાની નાગરિકતા અને રાષ્ટ્રીયતા ગુમાવશે.