National

ઔરંગાબાદ સંઘર્ષ : ભાજપનો કાર્યકર અને મુખ્ય આરોપી કોર્ટ સંકુલમાંથી ભાગી છૂટ્યો

(એજન્સી) ઔરંગાબાદ, તા.૩૦
બિહારના ઔરંગાબાદ ખાતે રામનવમીના દિવસે સર્જાયેલ કોમી અથડામણનો મુખ્ય આરોપી ભાજપનો કાર્યકર રવિવારે કોર્ટ સંકુલમાંથી નાસી છૂટ્યો હતો.
અહેવાલો મુજબ આરોપી ભાજપનો કાર્યકર અનિલસિંગ કોર્ટમાં પોલીસને હાથતાળી આપી ભાગી ગયો હતો. સિંગને કોર્ટમાં રજૂ કરવા લઈ જતા સમયે તે છટકી ગયો હતો તેમ ઔરંગાબાદના પોલીસ વડા સત્યપ્રકાશે જણાવ્યું હતું. આરોપી અનિલસિંગ ઈજનેરી કોલેજનો વિદ્યાર્થી હતો. તે પહેલાં એબીવીપીમાં જોડાયો હતો. પાછળથી તે બિહાર પીપલ્સ પાર્ટીમાં સામેલ થયો હતો. જેની સ્થાપના રાજપૂત નેતા આનંદમોહને કરી હતી. આનંદ મોહન હાલમાં ગોપાલગંજના કલેક્ટર જિ. ક્રિષ્નાની હત્યામાં જેલની સજા કાપી રહ્યો છે. જેમની સામે ગુનો દાખલ કરાયો છે તેમાં ભાજપના પ્રવક્તા ઉજ્જવલ કુમાર અને એબીવીપીના નેતા દીપકકુમારનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે પોલીસે ગુનાહિત કાવત્રુ, કોમી ઉશ્કેરણી અને શસ્ત્ર ધારા હેઠળ કેસ દાખલ કર્યો છે. ઔરંગાબાદમાં ૧૪૮ લોકો સામે કેસ દાખલ કરાયો છે. જેમાં ૧રપની ધરપકડ કરાઈ છે.
નવાદીહ કોલોનીથી પસાર થતી શોભાયાત્રા પ્રસંગે રવિવારે સાંજે દંગાઈઓએ પથ્થરમારો કરી ર૦ દુકાનોને આગ લગાડી હતી. ત્યારે સ્થિતિ તંગ બની હતી. જામા મસ્જિદ વિસ્તારમાં પ૦ જેટલી દુકાનોને આગ લગાડી હતી. જેમાં ૬૦ લોકો ઘાયલ થયા હતા. ર૦ જેટલા પોલીસો પણ ઘવાયા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    MuslimNational

    ઉત્તરપ્રદેશના બદાયુંમાં ૨ સગીરોની હત્યાના જઘન્ય કિસ્સાનેસાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો : મુસ્લિમોના વિરોધનું આહ્‌વાન

    રાજ્ય પોલીસ અને મૃતકના પરિવારજનો…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.