Gujarat

કોડિનાર : અકસ્માતના મૃતકોને વળતર ચૂકવવા આદેશ કરાયો

(સંવાદદાતા દ્વારા) કોડિનાર, તા.૧૮
આ કેસની ટૂંકમાં વિગત જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વડનગર ગામના નારણભાઈ ઓધડભાઈ ગાધે તેમજ આલીદર ગામના કાનાભાઈ વરસીંગભાઈ સોલંકી એ.બી.જી. સિમેનટ કંપની કચ્છમાં નોકરી કરતા હોય તેઓનું તા.ર૮-૦પ-ર૦૧રના રોજ નોકરી પુરી કરી નલિયા ઘરે પરત જતા હતા ત્યારે રામપરા પાસે ટ્રક તથા જીપ વચ્ચે અકસ્માત થતા આ લોકો ઉપરાંત અન્ય ૧૧ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ બાબતે મૃતકના વારસદારોએ ઉનાના મોટર એક્સી. ક્લેઈમ ટ્રિબ્યુનલ સમક્ષ અકસ્માત કરનાર ટ્રક તથા જીપના માલિક, ડ્રાઈવર, વીમા કંપની સામે ક્લેઈમ અરજી દાખલ કરી હતી. આ ક્લેઈમ કેસો મે.કોડિનાર કોર્ટમાં નવા નંબર-૧૩૪/૦૧૮ તેમજ ૧૩પ/૦૧૮થી ટ્રાન્સફર થતા કોડિનારના જજ એન.એલ. દવેની કોર્ટમાં ઝડપથી ચલાવી આ કામે અરજદારોએ રજૂ કરેલ પુરાવા તથા દલીલો ધ્યાને લઈ જજે હુકમ કરી નારણભાઈ ગાધેના વારસદારોને વળતરની રકમ રૂા.૩પ,૦ર,૭૮૦/- તથા કાનાભાઈ સોલંકીના વારસદારોને વળતરની રકમ રૂા.૩પ,૮૯,૦૦૦/- તેમજ તેના ઉપર અરજીની તારીખથી ૯% લેખેનું વ્યાજ સહિતની તમામ રકમ ચૂકવવા સામાવાળાઓની સામે હુકમ કરેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.