Gujarat

કોડીનારમાં મુસ્લિમોની પ્રચંડ મૌન રેલી નરાધમોને ફાંસીની સજા કરવાની માંગ

(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.ર૦
દેશના વિવિધ શહેરોમાં નાની બાળાઓ ઉપર નરાધમ શખ્સો દ્વારા દુષ્કર્મ આચરી હત્યાઓના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે કોડીનારના મુસ્લિમો દ્વારા અને સદભાવના ગ્રુપ દ્વારા કઠુઆ, ઉન્નાવ, સુરતના હેવાનીયત બનાવોના વિરોધમાં આજે જુમ્માની નમાઝ બાદ વિશાળ મૌન રેલી નીકળી હતી. કાદરી મસ્જિદ ચોકથી શરૂ થયેલી આ પ્રચંડ મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમો જોડાયા હતા. આ મૌન રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ મામલતદાર ઓફિસે પહોંચી મામલતદાર દ્વારા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જમ્મુના કઠુઆ-સુરત અને ઉન્નાવની ઘટનાઓને વખોડી કાઢી કઠુઆની આઠ વર્ષીય માસુમ આસિફા સાથે મંદિર જેવી પવીત્ર જગ્યામાં સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી નાખવાના અને ઉન્નાવમાં ભાજપ ધારાસભ્ય અને તેના પિતાની હત્યા કર્યાના અને સુરતમાં ૧૧ વર્ષની બાળા ઉપર સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાને લઈ દેશ ભરના લોકોમાં મોટી ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાયું છે. આપણા દેશમાં નારીના સન્માન બાબતે ઉમદા અને સન્માન જનક દ્દષ્ટિકોણ રહેલાં છે. ત્યારે આવી અમાનવીય ઘટનાઓથી નરાધમો ઉપર નફરત અને ફીટકારની લાગણી ફેલાવા સાથે ભારે આઘાત લાગેલ છે. તેમજ આવા બનાવોમાં ઉતરોત્તર સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક બાબત હોય આ તમામ ઘટનાને કોડીનારના હિન્દુ મુસ્લિમોએ એક સાથે વખોડી રાજકારણથી દૂર રહી તમામે એક અવાજે આવા અમાનવીય નિંદનીય કૃત્યો આચરનારા નરાધમોને તાત્કાલિક સજાની માગ કરી હતી. તેમજ આવી ઘટનાઓમાં કોઈ નક્કર પગલાંઓ ભરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં સભ્ય સમાજ અને નારીઓની આબરૂને લાંછન લગાડતા અને ગૌરવને લાંછન લગાડતી આવી ઘટનામાં સંડોવાયેલા કોઈ પણ અમરબંધીને છોડવા અને દાખલા રૂપ સજા તાત્કાલિક ધોરણે કરવા આવેદનપત્રમાં ઉગ્ર માગણી કરવામાં આવી છે. આ વિશાળ મૌન રેલીમાં મુસ્લિમ દ્વારા બળાત્કારીઓ વિરૂદ્ધના બેનરો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેમાં જસ્ટિસ આસિફા અને નરાધમોને ફાંસી જેવા અનેક બેનરો રેલીમાં જોવા મળ્યા હતા.
મૌન રેલી જ્યારે મામલતદાર ઓફિસરે પહોંચી ત્યારે કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળા કે.સી.ઉપાધ્યાય, મહેશ મકવાણા, શૈલેષ ભાઈ વાઘેલા, સંજર બાપુ કમાદરી, ફરજંદ અલી બાપુ, ઈબ્રાહીમ પિરાણી, બસીરભાઈ શેખ, તનવીર જુણેજા, દાદાબાપુ કાદરી સહિતના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમો સહિત અનેક હિન્દુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.