(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
દેશમાં કોરોના વાયરસના પ્રકોપ અંગે પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર કોરોના વાયરસ સામે લડવા બરાબર તૈયાર નથી. વડાપ્રધાન સાર્ક કે જી-ર૦ બેઠક બોલાવવા માંગે છે તો અમને કોઈ તકલીફ નથી. પરંતુ બીજી તરફ રાજ્યોના મુખ્યમંત્રીઓ કોરોના સામે મક્કમ લડત આપી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કોરોના સામે લડવા સમન્વયની જરૂર છે. ભારતમાં કોરોનાના ૧૧પ કેસો સામે આવ્યા છે. કેટલાક સાજા થઈ ગયા છે પરંતુ વાયરસ ૧૩ રાજ્યોમાં ફેલાઈ ચૂકયો છે. વિશ્વના ૧રર દેશોમાં કોરોના ફેલાયો છે. વાયરસનો હજુ કોઈ ઈલાજ મળતો નથી. જે ચિંતાજનક છે. ભારતમાં બે લોકોનાં મોત થયા છે.