(એજન્સી) શ્રીનગર, તા.૧૭
શ્રીનગર, બડગામ અને ગન્દરબલ એમ ત્રણ જિલ્લામાં યોજાયેલ ચૂંટણી દરમિયાન સરકારી દળો દ્વારા માર્યા ગયેલ ૯ નાગરિકોના મોત અંગેનો રિપોર્ટ સ્ટેટ હ્યુમન રાઈટ કમિશન (રાજ્ય માનવાધિકાર પંચ)ને સોંપવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. ચૂંટણીના દિવસે સરકારી દળો દ્વારા ૯ નાગરિકોના મોત નિપજાવવામાં આવ્યા હતા. રાજ્ય માનવાધિકાર પંચે (એસએચઆરસી) માર્યા ગયેલ નાગરિકો અંગે પ્રતિક્રિયા આપવા સરકારને પૂછવામાં આવ્યું હતું પરંતુ આ ઘટનાને ૧૧ માસ જેટલો લાંબો સમયગાળો પસાર થઈ ગયો હોવા છતાં સરકારે આ અંગે હજુ સુધી એસએચઆરસીને રિપોર્ટ કરવામાં નિષ્ફળ નીવડી છે. નાગરિકોની હત્યાની ઘટના બાદ માનવ અધિકારના શાંતિ અને સલામતી કેન્દ્રના ચેરપર્સન એમ.એમ.સુઝાએ નાગરિકોની હત્યા મામલે એસએચઆરસી હસ્તક્ષેપની માંગ કરી છે. અરજકર્તા સુઝાએ આ અરજીમાં જણાવ્યું છે કે, લોકોના જાનનું રક્ષણ કરવું કાશ્મીરના ડીજીપી, મુખ્ય ચૂંટણી અધિકારી વિભાગીય કમિશનર અને મુખ્ય સેક્રેટરીની બંધારણીય ફરજ છે અને એમણે આવા સ્થળો પર એવા ચુસ્ત તંત્રનો બંદોબસ્ત કરવો જોઈએ જેમાં પોલીસ કે સુરક્ષા કર્મીઓ દ્વારા અતિદમન કે હિંસાને અવકાશ મળે અને જે નાગરિકોના મોતમાં પરિણમે. અરજદારે ઉમેર્યું કે ચૂંટણી સ્થળ પર કાયદાકીય રૂપે કોઈ ભીડ નિયંત્રણ તંત્ર લાગુ કરવામાં આવ્યું નહોતું. કોઈપણ માન્ય કાર્યપ્રણાલિનું પાલન કરવામાં આવ્યું નહોતું. સુરક્ષા દળોએ આંતકવાદ, અગનગોળા અને બુલેટોનો નિહસ્થા નાગરિકો પર વરસાદ વરસાવતા નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા હતા. અરજદારે નાગરિકોની હત્યા સંદર્ભે કમિશનના હસ્તક્ષેપ સાથે તપાસ એજન્સી દ્વારા ન્યાયિક તપાસની માંગ કરી છે અને દળો દ્વારા અતિદમનકારી અને માન્ય કાર્ય પ્રણાલિને અનુસરવામાં દોષિ સામે એફઆઈઆર નોંધાવી છે. તેમના માર્યા ગયેલ નાગરિકોના પરિવારને તેમની ઘાયલ નાગરિકોને સહાય પૂરી પાડવા માંગ કરી છે. એસએચઆરસીએ ફરીથી નાગરિકોની હત્યા મામલે રિપોર્ટ રજૂ કરવા સરકારને ૬ સપ્તાહનો સમય આપ્યો છે.