Gujarat

ચોર્યાસીના માલગામા ગામે ૮૦૦૦ ચો.મી. જમીનની વિના મૂલ્યે ફાળવણી કરાઈ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
સુરતમાં રહેતા કિન્નર સમુદાય માટે જિલ્લા કલેક્ટર દ્વારા જમીન સમાધિ (મરણ પામેલાની દફનવિધી) માટે ચોર્યાસી તાલુકા મલગામા ખાતે આઠ હજાર ચોરસ મીટરની જમીનની વિનામુલ્યા ફાળવણી કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે. કિન્નરોને તેઓની દફનવિધી માટે સરકારી જમીન ફાળવવનો સુરતમાં પ્રથમ કિસ્સો હોવાનો બહાર આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના નાનપુરા ખાતે આવેલ હિજડાવાડ ખાતે કિન્નરો રહેતા હતા અને ત્યાં જ તેઓ કિન્નરોની અંતિમવિધિ પણ કરા હતા. ધીરે ધીરે કિન્નરોએ અંદરો અંદર સમજુતી કરીને વિસ્તારની વહેંચણી પણ કરી લીધી હતી. હાલમાં જ્યાં કિન્નરોનું મૂળ ઘર હતુ ત્યાં અન્ય ક્ષાતિના લોકોની સંખ્યા વધવાના કારણે હવે તેઓને મૃત્યુ પામનારા કિન્નરોની અંતિમ વિધી માટેની જગ્યા ઓછી થઇ ગઇ હતી. હાલમાં સુરતમાં ૩૦૦થી પણ વધુ કિન્નરો છે.તેઓની દફનવિધિ માટે જમીન ફાળવવા માટે રામનગર ખાતે રહેતા પ્રિયંકાકુંવર નુતન કુંવર દ્વારા કલેક્ટરને સરકારી જમીન ફાળવવા માટેની છ માસ પહેલા અરજી કરવામાં આવી હતી.કલેક્ટર ધવલ પટેલે આ અરજી મળ્યા બાદ કિન્નરોને સાથે રાખીને શહેરમાં અથવા તો નજીકના ગામમાં સરકારી જમીન સોધવા માટેની જવાબદારી સીટી પ્રાંત અધિકારી બી.એસ.પટેલને સોંપી હતી. સતત ચાર મહિના સુધી શહેરતથા નજીકના ગામોમાં સરકારી જગ્યાઓ જોયા બાદ ચોર્યાસી તાલુકાના મલગામા ગામની સરકારી જમીનની પસંદગી કરવામાં આવી હતી.મલગામા ગામ ખાતે આવેલ બ્લોક નંબર ૧૦૬ વાળી સરકારી માલિકીની પ૦ હજાર ચોરસ મીટર જમીનમાંથી આઠ હજાર ચોરસ મીટર જમીન કિન્નરોને તેઓની અંતિમવિધિ કરવા માટે ફાળવવાનો નિર્ણયલેવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર ધવલ પટેલ દ્વારા ગઇકાલે મલગામાની આઠ હજાર ચોરસ મીટર જમીન રામનગર ખાતે રહેતા કિન્નરોને તેઓની અંતિમ વિધિ માટે ફાળવવા માટેનો શરતી હુકમ કર્યો હતો. આગામી સપ્તાહમાંઆ જમીનનો કબજો રામનગર ખાતે રહેતા કિન્નરોને ફાળવી પણ દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.