National

જમણેરી પાંખની વેબસાઇટ સ્વરાજ્યના એડિટરે બેરોજગારીને યોગ્ય ઠેરવતા ઉશ્કેરાટમાં ટિ્‌વટ કર્યું, પત્રકારો-સોશિયલ મીડિયા યૂઝર્સને શૂન્યમનસ્ક બનાવ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
તાજેતરમાં જ જમણેરી પાંખની વેબસાઇટ સ્વરાજ્ય અને તેના એડિટોરિયલ ડાયરેક્ટર આર જગન્નાથને ફેક ન્યૂઝ બદલ બીબીસીના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. જોકે, ગુરૂવારે જગ્ગી નામે જાણીતા જગન્નાથે બેરોજગારીને યોગ્ય ઠેરવતું ઉશ્કેરાટમાં કરેલું ટિ્‌વટ સોશિયલ મીડિયામાં મજાક બન્યું હતું. બેરોજગારીનો દર ૪૫ વર્ષમાં સૌથી વધુ છે તેવા રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા જગન્નાથે કહ્યું કે, આ દેશ માટે સકારાત્મક સંદેશ છે. તેના ટિ્‌વટમાં લખ્યું કે, સામાન્ય તફાવત સાથેના આંકડા વાંચવાની જરૂર છે. ઊંચો રોજગાર દર દર્શાવે છે કે, કામ માટે હજુ ઘણા લોકો સક્રીય છે. હવે ઘણા લોકો માને છે કે નોકરીઓ તો મળી જશે પછી ભલે સંતોષજનક ન હોય. જોકે, આ રિપોર્ટ નરેન્દ્ર મોદીસરકારની નિષ્ફળતા છતી કરે છે તેવી સમજણ પડે તે પહેલા તોજગન્નાથ પર સોશિયલ મીડિયા પર મજાકનો દોર શરૂ થઇ ગયો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.