(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
તાજેતરમાં જ જમણેરી પાંખની વેબસાઇટ સ્વરાજ્ય અને તેના એડિટોરિયલ ડાયરેક્ટર આર જગન્નાથને ફેક ન્યૂઝ બદલ બીબીસીના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. જોકે, ગુરૂવારે જગ્ગી નામે જાણીતા જગન્નાથે બેરોજગારીને યોગ્ય ઠેરવતું ઉશ્કેરાટમાં કરેલું ટિ્વટ સોશિયલ મીડિયામાં મજાક બન્યું હતું. બેરોજગારીનો દર ૪૫ વર્ષમાં સૌથી વધુ છે તેવા રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા જગન્નાથે કહ્યું કે, આ દેશ માટે સકારાત્મક સંદેશ છે. તેના ટિ્વટમાં લખ્યું કે, સામાન્ય તફાવત સાથેના આંકડા વાંચવાની જરૂર છે. ઊંચો રોજગાર દર દર્શાવે છે કે, કામ માટે હજુ ઘણા લોકો સક્રીય છે. હવે ઘણા લોકો માને છે કે નોકરીઓ તો મળી જશે પછી ભલે સંતોષજનક ન હોય. જોકે, આ રિપોર્ટ નરેન્દ્ર મોદીસરકારની નિષ્ફળતા છતી કરે છે તેવી સમજણ પડે તે પહેલા તોજગન્નાથ પર સોશિયલ મીડિયા પર મજાકનો દોર શરૂ થઇ ગયો હતો.