જામનગર, તા.૩
જામજોધપુર તાલુકાના સંગ ચિરોડા ગામમાં આવેલા એક મકાનમાં દૂધમાં ભેળસેળ કરી નાગરિકોને તે દૂધ પકડાવી દેવાતું હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એ. ચાંડેરા તથા સ્ટાફે ગુરૂવારે સંગ ચિરોડામાં આવળભાઈ પરબતભાઈ કટારા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં આવળભાઈ દ્વારા દૂધનો પાવડર તથા તેલ મીક્સ કરી તેમાં પાણી ઉમેરી દૂધના ફેટ કાઢી લેવાતું હોવાનું કૌભાંડ ઝડપાયું છે. આ શખ્સ તેલવાળું બનાવટી દૂધ ગ્રાહકોને ધાબડી દેતો હોય પોલીસે સ્થળ પરથી કુલ રૂા.૮૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેની સામે ખાદ્ય પદાર્થ નિવારણની કલમો તેમજ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.