(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
જાહેરાત વિભાગના નિયામક ભારતીય જાહેરાત માપદંડ પરિષદે ઓકટોબર મહિનામાં ભ્રમિત કરનાર જાહેરાતના મુદ્દે ર૦૦ કંપનીઓને દોષી કરાર આપ્યો છે આ કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલીવર, ડાબર ઈન્ડિયા, ઉબેર ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઉષા ઈન્ટરનેશનલ વગેરેનો સમાવેશ થાય છે પરિષદને ૩૧૯ ફરિયાદો મળી હતી.
દોષિ સાબિત થયેલ કંપનીઓમાં ૮ર સ્વાસ્થ્ય ક્ષેત્ર ૮પ શિક્ષણ ક્ષેત્ર, ૧૧ વ્યકતિગત સંભાળના ઉત્પાદન ક્ષેત્ર, ૮ ખાણીપીણીના પદાર્થ તેમજ ર૪ અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. સમિતિએ હિન્દુસ્તાન યુનિલિવરના આયુષ સાબુની જાહેરાતને ભ્રામક ગણાવી હતી. જેમાં કહેવામાં આવે છે કે, આ પેદાશમાં ૧પ આયુર્વેદિક જડી બુટ્ટીઓ છે તેમજ પાંચ હજાર વર્ષ જૂની પધ્ધતિથી તેને બનાવવામાં આવે છે આવી જ રીતે ડાબર ઈન્ડિયાના ડાબર તેલની જાહેરાતમાં બે ગણા ઝડપથી શારીરિક વિકાસના દાવાને અતિશયોકિત ગણવામાં આવ્યો હતો. ઉબેર ઈન્ડિયાની ૧૦ સવારી પર પ૦૦ રૂપિયાની બચતવાળી જાહેરાત, વાહનચાલકોને હેલ્મેટ વિના દર્શાવતી હિન્દુસ્તાન પેટ્રોલિયમની જાહેરાતને સમિતિએ ભ્રામક ગણાવી હતી.