(એજન્સી) ઢાકા, તા.૭
બાંગ્લાદેશ દક્ષિણમાં આવેલ એક શાળાના વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ ફોન જપ્ત કરી નજીકના મેદાનમાં સળગાવી દીધા હતા. શાળા તંત્રનું કહેવું છે કે, તેઓ ટેકનોલોજીના વિરોધી નથી પરંતુ મોબાઈલ ફોનના નકારાત્મક પરિણામો તેના ફાયદા કરતાં વધારે ખતરનાક છે. કટ્ટરપંથી ઈસ્લામિક શાળાના વહીવટી તંત્રએ હજારો મોબાઈલ જપ્ત કરી તેને ઈસ્લામ વિરોધી ગણાવી તેને બાળીને ભસ્મીભૂત કરી દીધા હતા. ચીતાંગોગ નજીક દારૂલ ઉલુમ મોઈનુમ ઈસ્લામ મદ્રેસા અહેમદ શાહી દ્વારા ચલાવવામાં આવે છે જેઓ અંતિમવાદી જૂથ હિફાઝલે ઈસ્લામના પ્રણેતા છે તેમજ ઈસ્લામિક શાસનને પાછું લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે. શાળાના પ્રવકતા અઝીઝુલ હકે કહ્યું કે આ ડિવાઈસીસ તેમના ચારિત્રને નષ્ટ કરી રહી છે. બાળકો આખી રાત ઈન્ટરનેટ સર્ચ કરી સવારે શાળામાં તેની ચર્ચા કરે છે. તેમના મા-બાપ ચિંતાતુર છે. અમને વાલીઓએ ફરિયાદો કરતાં ઢગલો પત્રો મળ્યા. જે મોબાઈલ અંગેના હતા. શાળા મોબાઈલની વિરોધી નથી પરંતુ તેની નકારાત્મક અસરો તેની હકારાત્મક અસર કરતા વધારે ખરાબ છે. ૧ર૩ વર્ષ જૂની શાળામાં ૧૪ હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. જે મુસ્લિમ વિદ્ધાન દ્વારા ચલાવાય છે. મુસ્લિમ બહુલ દેશમાં બિનસાંપ્રદાયિક સરકાર હોવા છતાં તેની અસર જોવા મળે છે.