Gujarat

દરેક મુસ્લિમ ભાઈની નેક કમાઈમાંથી આપેલ નાણાંનો મસ્જિદ-ઈબાદતગાહના કામમાં ઉપયોગમાં લેવાશે

૧સાવરકુંડલા, તા.૧૩
સાવરકુંડલાના સૂફી સંત અને હિન્દુ-મુસ્લિમ બંને કોમની દીલમાં વસેલા પીરે તરીકત અલ્હાજ સૈયદ દાદાબાપુ કાદરી દ્વારા ચલાવેલ મીશન વ્યસન મુક્તિ અભિયાન, સમાજના અંદરોઅંદર ગુગડાના સમાધાન અને નેક કામ મીશન જેવી પ્રવૃત્તિઓ પીર સૈયદ દાદાબાપુ કાદરી દ્વારા ચલાવવામાં આવે છે તે અનુસંધાને કાલે સિપાઈ જમાતખાને એક જનરલ મીટિંગ બોલાવી હતી અને આ મીટિંગ ખાસ નેક કામ માટે હતી જે નેક કામનું નામ આપવામાં આવ્યું છે તે તમામ પૈસા મસ્જિદ અને મદ્રસા બનાવવામાં વાપરવામાં આવે છે. ગઈકાલની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સાવરકુંડલાના મુસ્લિમના ઘરે એક ડબ્બો મુકવામાં આવશે અને દરેક મુસ્લિમ ભાઈ પોતાની નેક કમાઈમાંથી હેસીયત મુજબ આ ડબ્બામાં પૈસા નાખશે અને એક વર્ષ બાદ આ ડબ્બાના પૈસા પરત લેવામાં આવશે અને એનો ઉપયોગ જે ગામ કે શહેરમાં મસ્જિદ કે ઈબાદતગાહ નહીં હોય તે બનાવવામાં ઉપયોગ લેવામાં આવશે. પીર સૈયદ દાદાબાપુ કાદરી આ મીશન નેક કામને મોટા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સાવરકુંડલા શહેર સહિત મક્કા શરીફમાં પણ બાપુએ મીશન ચલાવ્યું હતું અને ગામે ગામથી આ નેક કામના મીશનમાં લોકો જોડાઈ રહ્યા છે અને પોતાની નેક કમાઈમાંથી અલ્લાહનું ઘર બનાવવા માટે લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.