Gujarat

બહારથી ર૦૦ માણસો ગામમાં ઘૂસી ગયા છે અને એકનું કોરોનાથી મોત થયાની ખોટી પોસ્ટથી અફરાતફરી

સિદ્ધપુર, તા.૩
સિદ્ધપુરના ખળી ગામે બહારથી ર૦૦ માણસો ઘૂસી ગયા છે અને એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. એવી અફવા કોઈ ભાગલાવાદી શખ્સે ફેલાવી હતી. જો કે, જે વ્યક્તિનું મોત થયાનું જણાવ્યું હતું તે વ્યક્તિ કતારમાં જીવિત હોવાનું જાણવા મળેલ છે, આમ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર શખ્સ સામે કાર્યવાહીની માંગ ઊઠી છે. સિદ્ધપુરના ખળી ગામે બહારના ર૦૦ જેટલા માણસો ઘૂસી ગયા છે અને એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે, એવી અફવા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી વાયરલ કરાઈ હતી. આવી પાયા વગરની વાતની સાચી હકીકત જાણ્યા વિના કે ખાતરી કર્યા વગર અન્ય શખ્સોએ પણ આ પોસ્ટને પોતાના ગ્રુપમાં વાયરલ કરતા પોલીસતંત્ર, આરોગ્ય વિભાગ તથા પંચાયત તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આ અંગે પોલીસ વિભાગ મામલતદાર, ટીડીઓ અને આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં તપાસ કરવામાં આવી હતી. જો કે, ર૦૦ માણસો ઘૂસી ગયાની વાત અફવા સાબિત થઈ હતી. જ્યારે જે વ્યક્તિનું મોત થયું હોવાનું ચર્ચાતું હતું તે ભાઈ કતારમાં જીવિત હોવાનું જાણવા મળેલ, આમ કોઈપણ વજૂદ વિનાની અને પાયા વિનાની લોકોમાં ગભરાટ, ભય અમે દહેશતનો માહોલ ઊભો કરતી પોસ્ટ કરનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોમાં માંગ ઊઠવા પામી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.