(એજન્સી) મુંબઈ, તા.૭
જો પિતાનું મૃત્યુ થઈ જાય અને પિતાએ કોઈ વસીયત નામું કર્યું નહીં હોય તો ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ સ્વીકારનાર હિન્દુ મહિલા પણ પિતાની સંપત્તિ ઉપર પોતાના ભાગ માટે દાવો કરી શકે છે. આ ચુકાદો બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના એ ચુકાદાને રદ કરવા ઈન્કાર કર્યો જેમાં પ૪ વર્ષીય બહેનની અપીલ પછી મુંબઈના ૬૮ વર્ષીય નિવાસીને મોટુંગામાં એમના પિતાના ફલેટને તોડવા અથવા વેચવા ઉપર મનાઈ હુકમ આપ્યો હતો. વ્યક્તિએ દાવો કર્યો હતો કે એમની બહેને ઈસ્લામ સ્વીકાર કર્યો હતો અને એ માટે પિતાની સંપત્તિ ઉપર એમનો અધિકાર ખતમ થઈ જાય છે કારણ કે એમના પિતા હિન્દુ હતા. કોર્ટે આ દલીલ સામે જવાબ આપ્યો કે આ પ્રત્યેક વ્યક્તિનો અંગત નિર્ણય છે કે એ ઈસ્લામ અથવા અન્ય ધર્મ સ્વીકારવા માંગે છે કે કેમ ? કોર્ટે કહ્યું કે લગ્ન પછી અથવા પોતે ધર્મ બદલી શકાય છે અને આવશ્યક નથી કે માતા-પિતા દ્વારા મળેલ ધર્મ જ અપનાવવામાં આવે. જજે કહ્યું વારસાનો અધિકાર વૈકલ્પિક નથી એ જન્મની સાથે જ મળી જાય છે. અમુક મામલાઓમાં એને લગ્નથી જોડવામાં આવે છે. એ ધ્યાનમાં રાખીને કે કોઈ ધર્મનો ત્યાગ કરવું અથવા અન્ય ધર્મ સાથે જોડાવવાથી પાછલા સંબંધો છોડી નહીં શકાય. જે જન્મથી સાથે જ અસ્તિત્વમાં છે. એમણે કહ્યું કે, હિન્દુ ધર્મ છોડનાર યુવતી પણ પોતાના પિતાના મૃત્યુ પછી એમની સંપત્તિમાં અધિકાર ધરાવે છે. કોર્ટે હિન્દુ સકસેશન એકટની કલમ ર૬નો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ કાયદો ધર્માંતર કરનારના બાળકો ઉપર લાગુ નથી પડતો પણ આમાં ધર્મ પરિવર્તન કરનારાઓનો ઉલ્લેખ નથી. આ આધારે એ સંપત્તિમાં ભાગ મેળવવા માટે અયોગ્ય નથી હોતા. મહિલાએ પિતાની સંપત્તિમાં ભાગ માંગતા ફલેટથી જોડાયેલ અપીલ ર૦૧૦માં દાખલ કરી હતી.