અંકલેશ્વર, તા.૩
ભરૂચ જિલ્લામાં જિલ્લા બહારથી આવતા અને જેમાં પણ રેડ ઝોન છે. તેવા અમદાવાદ, સુરત, બરોડા, મુંબઈ સહિત રાજ્ય બહારના લોકો જ્યારે ભરૂચમાં આવે છે. ત્યારે તમને હોમ ર્ષ્ઠિીહૈંહ તેમના આરોગ્ય ખાતા દ્વારા ન લેવામાં આવતા મોટા ભાગમાં એક-બે પોઝીટિવ હોય છે. જ્યારે આજરોજ ભરૂચ જિલ્લામાં બહારથી આવેલા લોકો પૈકી ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગાટનો એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરૂચના મકતમપુર રોડ પર આવેલ જ્યોતિ નગરમાં આવેલ એક વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતા વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ તમામ વિસ્તારોને સંક્રમિત વિસ્તાર જાહેર કરી આ ત્રણે લોકોને તાત્કાલિક ધોરણે જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગઈકાલે ચાર જેટલા એસ.આર.પી. જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વધુ ત્રણ લોકાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ ૪૭ થયા છે. હાલ હજુ પણ અસંખ્ય લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. જોકે મોટાભાગના લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.