National

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ઘરે જવાની માગ સાથે ૧૦૦૦ પ્રવાસી મજૂરો માર્ગો પર ઊતર્યા

(એજન્સી) તા.૨
દેશમાં લોકડાઉનની વચ્ચે ફસાઈ ગયેલા મજૂરોની ધીરજ હવે ખુટી રહી છે. સરકારે જો કે મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો શરૂ તો કરી છે તેની વચ્ચે મહારાષ્ટ્રમાં ફરી એક વખત ઘરે જવા માટે આજે મજૂરો રસ્તા પર ઉતરી આવતા સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડયા હતા. મુંબઈની જેમ મહારાષ્ટ્રના બલ્લારપુર જિલ્લાના ચંદ્રપુરમાં શનિવારે સવારે નવ વાગ્યે એક હજારથી વધારે મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને માંગણી કરવા માંડ્યા હતા કે, અમને અમારા ઘરે જવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે.તેઓ જાતે જ રેલવે સ્ટેશન તરફ ચાલવા માંડ્યા હતા.આ પૈકીના મોટાભાગના યુપી અને બિહારના છે. જો કે, પોલીસને આ બાબતની જાણકારી મળતા પોલીસે તેમને રોકયા હતા અને ખાવાનું પણ આપ્યું હતું.તેઓ જ્યાં રહેતા હતા તે સ્થળે તેમને પાછા મોકલ્યા હતા. પોલીસે તેમને જાણકારી આપી હતી કે, ઘરે જવા માટે વિશેષ વાહનોની વ્યવસ્થા થઈ રહી છે અને આ માટે પોલીસે તેમને ફોર્મ ભરવા માટે કહ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.