Gujarat

માંગરોળ શહેરની શાંતિ ડહોળવા વાહીદશાહ કબ્રસ્તાનમાં આગ લગાડી તોડફોડ કરાઈ

માંગરોળ, તા.૧૮
માંગરોળ બંદર પર આવેલા ઘાંચી મુસ્લિમ સમાજની માલિકીના વાહીદશાહ કબ્રસ્તાનમાં રાત્રે કેટલાક નઠારા તત્વોએ આગ લગાડી શહેરની શાંતિડ હોળવાનો હીન પ્રયાસ કર્યો હતો. અગાઉ પણ રાત્રે દફનવિધિ કરવા ગયેલ લોકોને ટોળા દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, સોમવારે મધરાતે એક મૈયતની દફનવિધિની તૈયારી કરવા ઘાંચી મુસ્લિમ સમાજના લોકો બંદર પર આવેલા તેમના વાહિદશાહ કબ્રસ્તાન પર ગયેલા ત્યારે કબ્રસ્તાનની અંદરઆગ લાગેલી જોવા મળેલ, નાળિયેરી અને લાકડાના ઢગલામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ચોકીદારનો ખાટલો પણ આગને હવાલે કરી દેવામાં આવ્યો હતો. એટલુ જ નહીં કબ્રસ્તાનની અંદર ઈબાદતગાહ પાસે રાખેલ પાણીની ટાંકીઓના નળ પણ તોડફોડ કરેલા પડેલ અને ત્યાં આંબાની કેરીઓ પણ તોડી પાડી મોટું નુકસાન પહોંચાડવામાં આવેલ. ત્યાં પહોંચેલા લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરેલ અંતે ફાયરબ્રિગેડની મદદથી આગ ઓલવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ અને તોડફોડ કરેલા દ્રશ્યો જોતા કેટલાક નઠારા તત્વો ઈરાદાપૂર્વક મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા અને બે કોમ વચ્ચે તનાવ પેદાકરવાના નિચ ઈરાદા સાથે કબ્રસ્તાનની અંદર ઘૂસી તોડફોડ કરી હોવાનું જણાઈ રહ્યું છે. રમઝાન માસના કારણે ચોકીદાર પણ હાજર ના હોય તેનો લાભ લઈ બંદર પર રખડતા નઠારા તત્વોએ આ હીન પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. થોડા દિવસ અગાઉ પણ મોડી રાત્રે એક મૈયતની દફનવિધિ કરવા ગયેલા લોકોને ટોળાએ ઘેરી લીધુ હતું અને તમે અત્યારે અહીં કેમ આવ્યા છો ? તમારે ફક્ત ૧૫ જણને જ આવવું તેવો ધોષ જમાવી દફનવિધિ કરવા ગયેલ લોકોને ડરાવવાનો પ્રયાસ કરેલ. તે સમયે આગેવાનો અને મરીન પોલીસે દોડી જઇ ટોળને કાબુમાં લીધુ હતું. પરંતુ અચરજની વાત એ છે કે, એ ટોળા પર લોકડાઉન જાહેરનામાના ભંગની કોઇ કાર્યવાહી થઈ નથી.
માંગરોળ બંદર પર બે સમુદાય વચ્ચે વૈમનસ્ય પેદા કરતા આવા અનેક બનાવો બન્યા છે પરંતુ હર વખતે મુસ્લિમ સમાજની સમાધાનકારી નિતિ હવે શૂળ બની રહી છે. આખરે આ નઠારા તત્વોને વેગ કોણ આપી રહ્યા છે ? આવા તત્વોને કાયદો-વ્યવસ્થાનો ડર કેમ લાગતો નથી ?
કબ્રસ્તાનમાં આગ લગાડવાની ઘટનાથી મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે. માંગરોળ પોલીસના ડીવાયએસપી જે.ડી. પૂરોહીત ઘટના સ્થળે દોડી જઈ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. ઘટનાની ગંભીરતા સમજી તપાસ હાથ ધરી છે. આ બાબતે માંગરોળ મરીન પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.