(એજન્સી) તા.૧૯
ધી હ્યુમન રાઈટ્સ વોચ (એચઆરડબ્લ્યુ)એ સોમવારે જાહેર કર્યું હતું કે મ્યાનમારમાં એક લશ્કરી ઝુંબેશ હેઠળ અન્ય ૪૦ રોહિંગ્યા ગામડાઓ બળીને રાખ થઈ ગયા છે. ઘી રાઈટ્સ ગ્રુપ મુજબ રપમી નવેમ્બરે ‘સેટેલાઈટે સક્રિય અગ્નિ અને મકાન ભંગારને કેમેરામાં કેચ કર્યું હતું. આ ઘટના રખીન સ્ટેટ મૌગ્ડો નગરવસાહતમાં આવેલ મી ચેન્ગ ગામની છે. નિવેદનમાં, એચઆરડબ્લ્યુએ કહ્યું કેટલાક બનાવો તો તે જ અઠવાડિયે નોંધાયેલા છે કે જ્યારે (ર૩ નવેમ્બરે) બાંગ્લાદેશ અને મ્યાનમારે સેકંડો અને હજારો શરણાર્થીઓની ઘરવાપસી કરવા માટે આવેદનપત્ર પર સહમતી દર્શાવી. ઓગસ્ટ રપથી અત્યાર સુધીમાં એચઆરડબ્લ્યુએ સેટલાઈટની મદદ વડે હાલની પ્રવૃત્તિઓ પર નજર નાખવા કોશિશ કરી તો તેમાં વિનાશ પામેલા ગામની સંખ્યા વધીને ૩પ૪ થઈ ગઈ.
એચઆરડબ્લ્યુના એશિયાના ડાયરેક્ટર બેડ એડમ્સે કહ્યું હતું ‘સેટલાઈટના ચિત્રો તે બતાવે છે જે મ્યાનમારની આર્મી સ્વીકારતી નથી કે રોહિંગ્યા ગામોનો વિનાશ થવો ચાલુ જ છે. મ્યાનમાર સરકારની રોહિંગ્યાને પાછા સુરક્ષિત મોકલવાની વાયદાઓ ગંભીરતાથી લઈ શકાય નહીં. ગયા અઠવાડિયે, આંતરરાષ્ટ્રીય એનજીઓ ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (એમએસએફ)ના અહેવાલ પ્રમાણે ઓછામાં ઓછા ૬,૭૦૦ રોહિંગ્યા હણાયા છે જેમાં ૭૩૦ બાળકો પ વર્ષથી પણ નાના હતા. એક રોહિંગ્યા બળવાખોર ટુકડીની હિંસાના બદલા રૂપે મ્યાનમાર ભૂદળે ‘કલેઅરન્સ ઓપરેશન’ શરૂ કર્યું, જેમાં રોહિંગ્યાને પાછા બાંગ્લાદેશ મોકલવાની વાત હતી.
એમએસએફના કહેવા પ્રમાણે બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે રોહિંગ્યાને લઈને થયેલી સમજૂતી તદ્દન બાલિશ છે.
મ્યાનમાર રોહિંગ્યાને નાગરિક માનતું નથી, તે તેઓને ગેરકાયદે બાંગ્લાદેશમાંથી ઘૂસી આવેલા શરણાર્થીઓ ગણે છે.